Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips: રોજ સવારે પીવો ધાણાનુ પાણી, આ શારીરિક સમસ્યાઓથી મળશે છુટકારો

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (18:16 IST)
ભારતીય રસોઈમાં ધાનાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. ધાણાન્નો સ્વાદ અને સુગંધ અનેક રીતે પ્રયોગમાં લેવામાં આવે છે. ચાહો તો ધાણાના પાનની ચટણી બનાવવી હોય કે પછી કોઈ શાકને ધાણાના પાનથી ગાર્નિશ કરવુ હોય. શાક મસાલાના રૂપમાં પણ ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે.  ધાણા સ્વાદ અને સુગંધની સાથે જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી અનેક બીમારીઓથી બચાવ થઈ શકે છે. આરોગ્યપ્રદ રએહ્વા માટે રોજ લીલા ધાના કે ધાણાના બીજનુ સેવન કરવુ લાભદાયક છે. થાએરોઈડ અને વજન ઓછુ કરવા જેવી સમસ્યાઓમાં ધાના રામબાણનુ કામ કરે છે.  ધાણાના સેવન કરવાની એક બેસ્ટ રીત છે રોજ સવારે ધાણાના પાણીને ખાલી પેટ પીવુ. ચાલો જાણીએ ખાલી પેટ ધાણાનુ પાણી પીવાના શુ છે ફાયદા અને તેનુ સેવન કરવાની યોગ્ય રીત. 
 
 ધાણાનુ પાણી પીવાના ફાયદા 
 
પાચનમાં સુધારો - ધાણાનુ પાણી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવાનુ કામ કરે છે. રોજ ધાણાના પાણીનુ સેવન શરીરના પાચન અગ્નિને નિયંત્રિત કરી શકે છે.  જેનાથી પેટમાં એસિડિટીનુ સ્તર વધવાથી રોકે છે. પેટનો દુખાવો, બળતરા અને ગેસ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. 
 
વજન ઘટે છે. 
 
જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો ધાણાના પાણીને ડાયેટમાં સામેલ કરો. ધાણા પાણીમાં એવા તત્વો હોય છે જે મેટાબોલિજ્મની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.  તેનાથી શરીરમાં જમા ફૈટ ઓછુ થવા માંડે છે અને ઝડપથી વજન ઓછુ થવા માંડે છે.  
 
થાઈરોઈડની સમસ્યામાં લાભકારી 
 
થાઈરોઈડના દર્દીઓએ પણ ધાણાનુ પાણી રોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. થાઈરોઈડની કમી હોય કે વધુ બંનેમાં લાભકારી છે. ધાણામાં જોવા મળતા ખનીજ અને વિટામિન થાઈરોઈડ હાર્મોનને વિનિયમત કરવામાં મદદ કરે છે. 
 
ઈમ્યુનિટી વધે છે 
 
ધાણાનુ પાણી પીવાથી ઈમ્યુનિટી લેવલ વધે છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ શરીરમાં ફ્રી રેડિકલ્સને ઓછા કરે છે. જે અનેક બીમારીઓ સામે લડવામા મદદ કરે છે. 
 
વાળની મજબૂતી 
 
ધાણામાં વિટામિન કે, સી અને એ ભરપૂર હોય છે. ધાણાનુ પાણીનુ સેવન કરવાથી વાળ મજબૂત બનવા સાથે ઝડપથી તેનો ગ્રોથ પણ થાય છે. રોજ ધાણાનુ પાણી પીવાથી વાળનુ ખરવુ અને તૂટવુ ઓછી થાય છે. આ ઉપરાંત ધાણાનુ તેલ અને હેયરમાસ્કની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments