rashifal-2026

જીમ નથી જઈ શકતા તો આ રીતે ઘટાડો વજન

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:08 IST)
જાડાપણુ મતલબ શરીરમા સતત ચરબી જમા થતી રહેવી. આજે દર 5 માંથી 3 લોકો જાડાપણાનો શિકાર થઈ રહ્યા છે. આ જાડાપણુ આગળ જઈને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે. હકીકતમાં તેને જ બધી બીમારીઓનુ જડ માનવામાં આવે છે. વજન વધવાનુ સૌથી મોટુ કારણ આપણી બદલાતી જીવનશૈલી અને ખાવા પીવાની બગડતી આદતો છે. સમયની ઉણપને કારણે ઘણા બધા લોકો સમય પહેલા જમવાનુ કે બહારનુ ફાસ્ટફૂડ ખાય છે. તેને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રકારનો ડાયેટ પ્લાન ફોલો કરે છે કે પછી ખાવા પીવાનુ બિલકુલ છોડી દે છે. પણ તમને બતાવી દઈએ કે ખાવા પીવાનુ છોડવાથી વજન ઓછી નથી થતુ પણ યોગ્ય સમય પર યોગ્ય ડાયેટ લેવાથી વજન કંટ્રોલમાં રહે છે.  વજન વધવાનુ બીજુ મોટુ કારણ છે કે આપણે વોક કરતા નથી કે કસરત કરતા નથી. સીટિંગ જૉબ આપણને એટલા આળસુ બનાવી દે છે કે આપણે પગપાળા હાલવુ ફરવુ અને શ્રમવાળુ કામ કરવા જ નથી માંગતા. પરિણામ બેસીને જ બધા કામ કરવાથી ન તો આપણે જમવાનુ પચાવી શકીએ છીએ કે ન તો પરસેવો બહાર પાડી શકીએ છીએ. ચરબી શરીરમાં જ એકત્ર થઈ જાય છે જે જાડાપણાનું રૂપ લઈ લે છે. 
 
જાડાપણુ ઓછુ કરવામાં આપણને ખૂબ મહેનત લાગે છે. કારણ કે આપણે વિચારીએ છીએ કે કઠિન એક્સરસાઈઝ કરવાથી જ આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આ જરૂરી નથી. તમે કેટલીક ટિપ્સ ફૉલો કરીને પણ તમારુ વજન ઓછુ કરી શકો છો  જો તમે હેવી એક્સસસાઈઝ કે જીમ નથી જઈ શકતા તો આ ટિપ્સને ફોલો કરો. 
 
દિવસમાં 3 વાર 20 મિનિટ વોક કરો - રોજ લગભગ 15000 પગલા પગપાળા જરૂર ચાલો. પહેલા તમને ચાલવામાં થોડી મુશ્કેલી થશે પણ પહેલા થોડુ થોડુ ચાલો. ધીરે ધીરે સમયને વધારતા જાવ. આ ઉપરાંત ખાધા-પીધા પછી 20 મિનિટ ફરવા જરૂર જાવ. 
 
વોક કરતી વખતે ગ્રીન ટી પીવો - ગ્રીન ટી પીવાથી મેટાબૉલિઝ્મ ( metabolism) ઝડપથી વધે છે તેનાથી ફેટ બર્ન થાય છે. વૉકિંગ કરતી વખતે ગ્રીન ટી નુ સેવન જરૂર કરો. 
 
એક્સરસાઈઝ - વૉક ઉપરાંત હલકીફુલકી કસરતને પણ રોજની દિનચર્યામાં સામેલ કરો. 15થી 20 પુશઅપ, સ્કવૈટ્સ(squats) વગેરે. હલકી ફુલકી એક્સરસઈઝને સામેલ કરો. 
 
એક મિનિટની બ્રેક-સતત ફરવાથી કે એક્સરસાઈઝ કરવાથી એનર્જી લેવલ ડાઉન થવા માંડશે. સતતને બદલે વચ્ચે વચ્ચે એકાદ  મિનિટની બ્રેક જરૂર લો. જેથી એનર્જી ભરપૂર રહે. 
 
ગળ્યા ડ્રિંક્સથી પરેજ - જો તમે સતત વોક અને વર્કઆઉટ કરો છો તો મીઠા પેય પદાર્થોનુ સેવન ન કરો. કારણ કે મીઠી વસ્તુઓમાં કેલોરી વધુ માત્રામાં હોય છે. 
 
પાણીની યોગ્ય માત્રામાં સેવન - પાણીનુ સેવન વધુ કરો. પાણી શરીરમાં ઝેરીલા ટૉક્સિનને મૂત્ર દ્વારા બહાર કાઢે છે. શોધમાં એ વાત પણ સામે આવી છે કે પાણી પીવાથી પણ વજન ઓછુ થાય છે. રોજ 1. 5 લીટર પાણી જરૂર પીવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments