Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rohini Vrat 2024 : રોહિણી વ્રત, ધન ધાન્યમાં વૃદ્ધિ થશે આ રીતે કરો પૂજા, જાણો કથા

Webdunia
રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 (08:59 IST)
Rohini Vrat 2024 :રોહિણી વ્રત રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 ના રોજ છે. આ વ્રત મુખ્યત્વે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે.

રોહિણી વ્રતમાં સૂર્યોદયથી પહેલા સ્નાન કરી સાફ કપડા પહેરાઅ જૈન ધર્મમાં પવિત્રતા અને શુદ્ધતાની ખાસ કાળજી રખાય છે. 
 
રોહિણી વ્રત- જૈન ધર્મના અનુયાયીઓ માટે રોહિણી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત 27 નક્ષત્રોમાં સમાવિષ્ટ રોહિણી નક્ષત્રના દિવસે રાખવામાં આવે છે, તેથી તેને રોહિણી વ્રત કહેવામાં આવે છે. સૂર્યોદય પછી રોહિણી નક્ષત્ર પ્રવર્તે છે, તે દિવસે રોહિણી વ્રત મનાવવામાં આવે છે. જૈન ધર્મના લોકો આ દિવસે વાસુપૂજ્યની પૂજા કરે છે. એવું કહેવાય છે કે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત રાખે છે. આવો જાણીએ આ વખતે ક્યારે છે રોહિણી વ્રત, તેની સાથે જોડાયેલી ખાસ વાતો. 
 
રોહિણી વ્રત પૂજા વિધિ 
રોહિણી વ્રતમાં સૂર્યોદયથી પહેલા સ્નાન કરી સાફ કપડા પહેરાઅ જૈન ધર્મમાં પવિત્રતા અને શુદ્ધતાની ખાસ કાળજી રખાય છે. 
હવે પૂજા માટે વાસુપૂજ્ય ભગવાનની પાંચ રત્નો, તાંબા અથવા સોનાની મૂર્તિની સ્થાપના કરો. ભગવાન વાસુપૂજ્યને ફૂલ, ફળ, વસ્ત્ર, શુદ્ધ ઘીમાં બનાવેલ નૈવેદ્ય અર્પણ કરો.
જૈન સમાજના લોકો આ દિવસે વ્રત પૂર્ણ થતા પહેલા તેઓ ગરીબોને ભોજન, પૈસા અને કપડા દાન કરે છે. કહેવાય છે કે તેનાથી શારીરિક સુખ વધે છે.
 
 
રોહિણી વ્રત કથા  (Rohini Vrat Katha)
પૌરાણિક કથા મુજબ ચંપાપુરી નગરમાં રાજા માધવા અને રાણી લક્ષ્મીપતિના 7 પુત્ર અને 1 દીકરી હતી જેનુ નામ રોહિણી હતો. રોહિણીનુ લગ્ન હસ્તિનાપુરના રાજા અશોકથી થયો. એકવાર હસ્તિનાપુરમાં એક ઋષિ આવ્યા અને બધાએ ઉપદેશ સ્વીકાર્યો. રાજાએ મુનિરાજને પૂછ્યું કે તેની રાણી આટલી ચૂપ કેમ છે?
 
શું તેણી જીવે છે? મુનિરાજ પાસે આ રાજ્યમાં ધનમિત્રા નામની વ્યક્તિ હતી જેની પુત્રીનું નામ દુર્ગન્ધા હતું. છોકરીને હંમેશા દુર્ગંધ આવતી હતી તેથી જ તે હંમેશાપોતાના લગ્નની ચિંતા કરતો હતો. ધનમિત્રે તેની પુત્રીને પૈસાની લાલચ આપીને તેના મિત્રના પુત્ર શ્રીશન સાથે લગ્ન કરાવ્યા, પરંતુ તેની દુર્ગંધથી તે પરેશાન થઈ ગયો.તેણે તેને એક મહિનામાં છોડી દીધી.

પુત્રીના લગ્ન માટે પરેશાન હતો ધનમિત્ર  
ધનમિત્રએ બીજા મુનિરાજ અમૃતસેનથી દુર્ગાધાની વ્યથા જણાવી અને પુત્રીના વિશે પૂછ્યું. ત્યારે તેણે જણાવ્યુ કે ગિરનાર પર્વત પર રાજા ભૂપાલ તેમની રાણી સિંધુમતીના સાથે રહેતા હતા. નગરમા એક વાર મુનિરાજ આવ્યા હતા. રાજાએ રાણીથી મુનિરાજ માટે ભોજનની વ્યવસ્થા કરવા કહ્યુ. રાણીએ ગુસ્સે થઈને મુનિરાજને કડવી તુમ્બીનુ ભોજન આપી દીધું. તેનાથી મુનિરાજને ખૂબ દર્દ સહન કરવા પડયા અને તેણે તેમના પ્રાણ ત્યાગી દીધા. 
 
રોહિણી વ્રતના પ્રભાવથી કન્યાને મળ્યુ રાજપાઠ 
મુનિરાજની મૃત્યુ પછી પરિણામ રાણીને કોઢ થઈ ગયો અને તેના પ્રાણ ત્યાગી દીધા દુ:ખ સહન કર્યા પછી, તેણીએ પ્રાણીની યોનિમાં અને પછી તમારા ઘરમાં દુર્ગંધા છોકરી ના રૂપમાં 
જન્મ લીધો. ધનમિત્રની દીકરી સાજા થવાના વિધાન પૂછ્યા. મુનિરાજે કહ્યું કે સમ્યગદર્શનની સાથે રોહિણી વ્રત રાખો. જે દિવસે દર મહિને રોહિણી નક્ષત્ર આવે તે દિવસે ચારે પ્રકારના ભોજનનો ત્યાગ કરો સાથે જ શ્રી ચૈત્યાલયમાં જઈને ધર્મધ્યાન સહિત 16 પ્રહર વિતાવો. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરો. મુનિરાજનું 
 
દંતકથા અનુસાર, દુર્ગંધાએ ભક્તિ સાથે ઉપવાસ કર્યો અને તેના મૃત્યુ પછી સ્વર્ગની પ્રથમ દેવી બની અને અશોકની રાણી બની. તેવી જ રીતે, જે વ્યક્તિ આ વ્રતનું પાલન પૂર્ણ ભક્તિ સાથે કરે છે સર્વ સુખ પ્રાપ્ત થશે.

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments