Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને એક કલાક શ્રમદાન આપવા આદેશ

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2023 (14:50 IST)
ગાંધીનગરની તમામ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ અધિકારીએ  ધો. 3 થી 8 ના તમામ શિક્ષકોએ  રોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કર્યો છે. આ શ્રમદાન થકી શિક્ષકોએ બાળકોને ભણાવવા એક કલાક વધારે ફાળવવાનો રહેશે. આ આદેશ પ્રમાણે ગાંધીનગર જિલ્લાની 571 સરકારી અને 39 ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં શ્રમદાન કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના ઈન્ચાર્જ શિક્ષણ અધિકારી બી.એન.પ્રજાપતિએ ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં કોરોના કાળમાં બાળકોના શિક્ષણ પર થયેલી અસરના પગલે એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોએ ધો.3થી8ના તમામ વિદ્યાર્થીઓને વધુ એક કલાક ભણાવવા માટે શ્રમદાન આપવું પડશે. આ શ્રમદાન થકી પૂર્ણ ના થઈ શકેલો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે. 2020થી કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન હોવાથી બાળકોના અભ્યાસ પણ સૌથી મોટી અસર થઈ હતી. જેથી બાળકો વધુ શીખે અને તેમનો અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ થાય તે માટે આ આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકો પોતાનું શ્રમદાન આપે છે કે નહીં તેની તપાસ CRC કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments