Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mango Pickle Recipe - મિનિટોમાં તૈયાર થઈ જશે કેરીનુ અથાણું, વર્ષો સુધી નહી થાય ખરાબ જાણી લો રેસીપી

Webdunia
બુધવાર, 19 જૂન 2024 (13:50 IST)
ગરમીની ઋતુ એટલે કેરીની ઋતુ. ગરમી આવતા જ ઘરમાં કાચી અને પાકી કેરી આવવા માંડે છે. કાચી ક્રીથી અનેક પ્રકારનુ શાક, ચટણી અને પનુ બનાવી શકાય છે.  કેરીનુ અથાણુ નાખવાની પણ આ સીઝન હોય છે. ગરમીની ઋતુમાં કેરીનુ અથાણુ નાખીને તમે આખુ વર્ષ ખાઈ શકો છો. જો કે અથાણાનુ નામ સાંભળતા જ આજકાલના યુવાઓના મનમા ફક્ત દાદી નાનીના હાથનુ અથાણુ જ આવે છે. એવુ નથી કે તમે અથાણું નથી બનાવી શકતા.  હવે તો માર્કેટમાં તૈયાર અથાણાનો મસાલો પણ મળે છે. તમે ઘરે પણ જાતે કેરીનુ અથાણુ બનાવી શકો છો.. તેમા વધુ મસાલા પણ નથી નાખવા પડતા અને એકદમ ઘર જેવો સ્વાદ આવે છે. આવો જાણીએ કેવી રીતે તમે ફટાફટ કેરીનુ અથાણુ બનાવી શકો છો ?
 
કેરીનુ અથાણુ બનાવવા માટે જોઈએ આ સામગ્રી 
તમે એકવારમાં લગભગ 2 કિલો કેરીનુ અથાણુ નાખી શકો છો 
આ માટે 100 ગ્રામ મેથી અને 100 ગ્રામ વરિયાળી લઈ લો. 
50 ગ્રામ કલૌંજી અને 50 ગ્રામ હળદર પાવડર જોઈએ 
લગભગ દોઢ લીટર સરસવનુ તેલ જોઈએ 
લાલ મરચાનો પાવડર અને મીઠુ સ્વાદમુજબ 
 
કેરીનુ અથાણુ બનાવવાની વિધિ - કેરીનુ અથાણુ બનાવવા માટે પહેલા કેરીને ધોઈ લો અને સુકાવી લો. હવે કેરીના બરાબર એક જેવા કટકા કરીને તેને સુકવવા માટે મુકી દો. 
 
 
હવે લગભગ 1 કપ તેલમાં બધા મસાલા નાખીને મિક્સ કરી દો.  
આ મિશ્રણમાંથી થોડુ અથાણાના ડબ્બામાં પણ નાખી દો. 
જેથી ડબ્બામાં મસાલો સારી રીતે ચોટી જાય. 
હવે કેરીના ટુકડાને આ મસાલામાં સારી રીતે મિક્સ કરી દો 
હવે આ મસાલાવાળી કેરીને અથાણાની બરણીમાં ભરી દો. 
ધ્યાન રાખજો કે બધા ટુકડા પર મસાલો સારી રીતે ચોટી જવો જોઈએ 
હવે બચેલા મસાલા અને તેલને અથાણામાં ઉપરથી નાખી દો અને અથાણાનો ડબ્બો બંધ કરીને અઠવાડિયા સુધી તાપમાં મુકી દો. 
અથાણાને કડક તાપમાં મુકો અનેન તેને વચ્ચે વચ્ચેથી હલાવતા રહો. કેરીનુ સ્વાદિષ્ટ અથાણુ બનીને તૈયાર છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

છત્તીસગઢી ડુબકી કઢી બનાવો અને ભાતનો સ્વાદ વધારવો

બદલાતી ઋતુમાં તમને UTI ન થાય તે માટે કરો આ 5 કામ

સરસવના તેલથી પગના તળિયાની કરો માલીશ, અનેક બીમારીઓ થશે દૂર

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

વધુ જુઓ..

ધર્મ

આ 4 રાશિના લોકોએ કાળો દોરો ખૂબ સમજી વિચારીને બાંધવો, નહિ તો રીસાઈ જશે નસીબ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments