Festival Posters

નાગ પાચમ માટે ખાસ - દાળ બાટી બનાવવાની સરળ રેસીપી

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (16:46 IST)
આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી. 
 
આ વાનગી જ્યારે રજા હોય , ઘરે  મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય  તો આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. એને બનાવતામાં તમે બહુ વાતચીત સાથે આ તૈયાર કરી શકો છો. હવે વધારે વાત ન કરતા અને તમને આ વાનગીની વિધિ જણાવીએ છે અને એક સ્પેશલ ભોજન તૈયાર કરીએ છે. 
 
બાટી માટે સામગ્રી( For bati or dumplings)
ઘઉંનો લોટ -400 ગ્રામ 
રવો - 100 ગ્રામ 
ઘી- 100 ગ્રામ 
અજમો- અડ્ધી નાની ચમચી 
બેકિંગ સોડા - અડ્ધી નાની ચમચી 
મીઠું -સ્વાદપ્રમાણે 
 

બનાવવાની રીતે - How to make Dal Bati
લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો. હૂંફાણા પાણીની સહાયતાથી લોટને રોટલીના ક લોટથી થોડું ટાઈટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય . 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો. 
 
હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો. આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો. બાટી ફટવા લાગશે  અને બ્રાઉન થઈ જશે . શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો. હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો. 

દાળ બનાવવાની રીત-
 
તમે ઈચ્છો તો એમાં મિક્સ દાળના ઉપયોગ કરી શકો છો નહી તો માત્ર તુવેરની દાળ પણ બનાવી શકાય છે. 
સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, , 1 ચપટી મેથી, તલનું તેલ, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર,  ગરમ મસાલો,  ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.
બનાવવાની રીત :  તુવેરની દાળને પાણીમાં નાંખીને તેમાં ચપટી મેથી અને એક ચમચી ચણાની દાળ નાંખી એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ વઘાર માટે તલનું તેલ લેવું. આ તેલ ગરમ થાય એટલે એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને હળદર નાંખવી. હળદર એટલા માટે કે તેને દાળમાં નાંખવાથી દાળનો રંગ સારો આવે અને પિત્ત ન કરે. ધીમા તાપે વધાર થઇ ગયા પછી જરૂરિયા મુજબનું મીઠું, કોકમ, ખારેકનો ભૂકો, સૂંઠના ટૂકડા, કાળા મરીનો ભૂકો નાંખીને ધીમા તાપે બે-પાંચ મિનિટ ઉકાળવું. ત્યારબાદ દાળમાં ગોળ નાંખવો. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, ગરમ મસાલો અને ધાણાજીરુ નાંખવું. સૌથી છેલ્લે જરૂરિયાત મુજબ લીંબુનો રસ ઉમેરવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટમાં બધુ ધ્વસ્ત, હાર્દિક પણ થઈ ગયા દિવાના, રાજસ્થાન રોયલ્સે ત્રીજીવાર કર્યુ આ કામ

Career After 12th Diploma Course in Arts: ધોરણ 12 પછી, આર્ટ્સ સ્ટ્રીમમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ

8 April Crude Oil Price- અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, યુએસ ક્રૂડ ઓઈલમાં 19%નો ઘટાડો

Share Market Today: યુદ્ધ થંભ્યુ તો દોડ્યુ શેર માર્કેટ, સેંસેક્સમાં 2600 અંકોની તોફાની તેજી, નિફ્ટી 700 પોઈંટ ઉછળ્યુ

US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં 10 શરતો છે, વાટાઘાટો 10 એપ્રિલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મધ્યસ્થી બેઠક સાથે શરૂ થશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments