Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી દીવાનગી! ફૂટબોલ મેચ જોવા ઉમટેલી ભીડ, નાસભાગમાં કચડાઈને 6 લોકોના મોત

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (08:14 IST)
આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટ ચર્ચામાં આવી હતી જ્યારે ત્યાં એક મેચ દરમિયાન કેટલાક ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જો કોઈ રીતે મામલો શાંત પડ્યો હતો, તો ત્યાંથી વધુ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. આ ટુર્નામેન્ટની એક મેચ દરમિયાન નાસભાગ મચી ગઈ અને આ નાસભાગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ બધું ત્યારે થયું જ્યારે મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા પહોંચ્યા અને અચાનક નાસભાગ મચી ગઈ.
 
હકીકતમાં આ ઘટના કેમરૂનની રાજધાનીમાં બનેલા ઓલંબે સ્ટેડિયમની છે. અહીં અફ્રીકા કપ ઑફ નેશંસ ફુટબૉલ ટૂર્નામેંટ દરમિયાન 24 જાન્યુઆરીને અંતિમ રાઉંડનો એક મુકાબલો કેમરૂન અને કોમોરોસના વચ્ચે હતુ. આ મુકાબલાને જોવાઅ માટે સ્ટેડિયમ માં એંટ્રી કરતા ફેંસના વચ્ચે વિવાદ થયુ. આ વિવાદ આટલુ વધ્યુ કે પહેલા તો ધક્કામુક્કા થયા ત્યારબાદ જોરદાર નાસભાગ મચી ગઈ. 
 
આશ્ચર્યની વાત એ છે કે સ્ટેડિયમની અંદર મેચ ચાલી રહી હતી અને બહાર એન્ટ્રી ગેટની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. કેમરૂનના સેન્ટ્રલ રિજનના ગવર્નર નાસેરી પોલ બિયાના જણાવ્યા અનુસાર, કેટલાક વધુ લોકો ઘાયલ થઈ શકે છે. મેચ અધિકારીઓ એવું કહેવાય છે કે લગભગ 50 હજાર દર્શકોએ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments