Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટાઈનની સંખ્યા 50 હજારને પાર, ગાઝાના 15 હજાર બાળકોના મોત

Webdunia
સોમવાર, 24 માર્ચ 2025 (15:48 IST)
હમાસ સંચાલિત ગાઝામાં ઇઝરાયલના હુમલા પછી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 50 હજારને પાર કરી ગયો છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યુદ્ધ અગાઉ ગાઝાની વસતી અગાઉ 23 લાખ હતી. તેમાંથી યુદ્ધના કારણે 50,021 લોકોનાં મોત થયાં છે. એટલે કે ગાઝાની 2.1 ટકા વસતી મૃત્યુ પામી છે. દર 46માંથી એક વ્યક્તિનું મોત થયું છે.
 
મંત્રાલયે જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 1.13 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના આંકડાને વિશ્વસનીય માનવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેને ટાંકે છે.
 
પરંતુ ઇઝરાયલે ગાઝા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને સતત નકાર્યા છે.
 
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે નવેમ્બરમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં માર્યા ગયેલા લોકોમાં 70 ટકા મહિલાઓ અને બાળકો હતાં.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments