Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિઝબોલ્લાહ પર ઇઝરાયેલે 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2024 (18:07 IST)
ઇઝરાયલે લેબનોનના 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા કર્યા છે, જેમાંથી14 રાજધાની બૈરુતમાં આવેલાં છે.
 
ઇઝરાયલના સુરક્ષાબળો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહને સમર્થન આપતી બૅન્ક અલ-કર્દ અલ-હસન ઍસોસિયેશનની શાખાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.
 
બૅન્ક લેબનોનમાં 30 જેટલી શાખા ધરાવે છે, જેમાંથી 15 બૈરુતના એકદમ ગીચ વિસ્તારોમાં આવેલી છે. આ બૅન્ક દ્વારા હિઝબુલ્લાહને મદદ પહોંચાડવામાં આવતી હોવાનું અમેરિકા પણ માને છે.
 
આ હુમલામાં કોઈ ઘાયલ થયું છે કે કેમ, તે સ્પષ્ટ નથી, પરંતુ ઇઝરાયલે કહ્યું છે કે તે હિઝબુલ્લાહને મદદ કરતી બૅન્કો તથા અન્ય નાણાંકીય સંસ્થાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશે.
 
બૈરુત ઍરપૉર્ટ પાસે આવેલી બૅન્કની શાખામાંથી ધુમાડો નીકળતો દેખાયો હોવાના અહેવાલ છે.
 
રવિવારે સાંજે આઈડીએફના પ્રવક્તા રિયર ઍડમિરલ ડૅનિયલ હગારીએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અમે આગામી કલાકો દરમિયાન અને આખી રાત ટાર્ગેટ્સ ઉપર હુમલા કરીશું.
 
તેમણે દાવો કર્યો હતો કે ઈરાન દ્વારા હિઝબુલ્લાહને આર્થિકમદદ પહોંચાડવામાં આવે છે, જેના વિશે આગામી દિવસો દરમિયાન ખુલાસો કરવામાં આવશે.
 
આઈડીએફે દાવો કર્યો હતો કે ઉત્તર ઇઝરાયલ ઉપર રવિવારે અનેક રૉકેટ છોડવામાં આવ્યા હતા, જો કે, તેમાં મૃત્યુ કે ઈજાના કોઈ અહેવાલ નથી.
 
ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહ તથા લેબનોનના અધિકારીઓ દ્વારા નાગરિકવિસ્તારોને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ તેમણે આ આરોપોને નકાર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Recipe- ખસ્તા ખારા શક્કરપારા

Maharashtra elections: મુસ્લિમોને લલચાવવાની બીજી ષડયંત્ર? મહારાષ્ટ્ર સરકાર દરગાહ દર્શનનું આયોજન કરશે

ગુજરાત સરકારનો મોટો આદેશ, સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બની

Salman Khan ની એક્સ ગર્લફ્રેંડ Somy Ali કહ્યું, 'સલમાનને ખબર નહોતી કે સમાજ કાળા હરણની પૂજા કરે છે'

પુણેના મંડાઈ મેટ્રો સ્ટેશન પર આગ લાગી, એક વ્યક્તિ ઘાયલ

આગળનો લેખ
Show comments