Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુવૈતમાં આગને કારણે એક ભારતીય પરિવારના ચાર લોકોનું મોત

કુવૈતમાં આગને કારણે એક ભારતીય પરિવારના ચાર લોકોનું મોત
Webdunia
રવિવાર, 21 જુલાઈ 2024 (17:19 IST)
કુવૈતમાં શુક્રવારે રાતે ઘટેલી એક દુર્ઘટનામાં એક પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં.
 
આ દુર્ઘટના કુવૈત શહેરના અબાસ્સિયામાં ઘટી, જ્યાં મૅથ્યૂ મુલક્કલ નામની એક વ્યક્તિના ઘરે શુક્રવારે આગ લાગી હતી.
 
આ દુર્ઘટનામાં મૅથ્યૂ મુલક્કલ, તેમનાં પત્ની લીની મુલક્કલ અને તેમનાં બે બાળકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
 
કુવૈતમાં ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “આ દુર્ઘટના ઘરમાં આગ લાગવાને કારણે થઈ હતી. દૂતવાસ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે અને મૃતકોના અવશેષ વહેલાસર ભારત પહોંચાડવામા મદદ કરશે.”
 
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, કેરળના અલાપુઝાના નીરટ્ટૂપુરમનો આ પરિવાર હતો. પરિવાર એક દિવસ પહેલાં જ પોતાની રજાઓ માણીને કેરળથી કુવૈતસ્થિત તેમના ઘરે આવ્યો હતા.
 
સમાચાર પત્રએ 'અરબ ટાઇમ્સ'ના જણાવ્યા અનુસાર પહેલા માળે એક એસીમાં શૉર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. આ કારણે પરિવારના ચાર સભ્યોની શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયાં હતાં.
 
નોંધનીય છે કે આ પહેલાં કુવૈતની એક બહુમાળી ઇમારતમાં ગયા મહિને આગ લાગી હતી. એ ઘટનામાં 49 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં મોટા ભાગના ભારતીયો હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરવું?

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

એટલા માટે તમારે 3 મહિના સુધી તમારી પ્રેગ્નન્સી વિશે કોઈને કહેવું જોઈએ નહીં, ખુદ ડોકટરો પણ ના પાડે છે

કુંભારની શીખામણ

Easy Hacks To Get Rid Of Mosquitoes- મચ્છરોએ ઓરડાથી આંગણા સુધી બેસવું મુશ્કેલ કરી દીધું છે, આ એક પીળી અને લીલી વસ્તુ રાહત આપી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

આગળનો લેખ
Show comments