Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોરબંદરમાં અતિભારે વરસાદમાં 40થી વધારે લોકોને બચાવાયા, 600થી વધારે આશ્રયસ્થાનમાં

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2024 (16:10 IST)
અતિભારે વરસાદને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
 
પોરબંદરમાં અતિભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયાં હતાં અને કેટલાય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
 
આ દરમિયાન જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાંથી 40થી વધારે લોકોને બચાવી લેવાયા છે.
 
પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે, “પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસમાં અતિભારે વરસાદને કારણે જિલ્લાની ઘણી નદીઓમાં પૂર જેવી સ્થિતિ હતી અને પાણી ઘણા લોકોનાં ઘરમાં ઘૂસી ગયું હતું. 600થી વધારે લોકો હાલમાં શૅલ્ટર હૉમમાં ખસેડાયા છે. તેમને જરૂરી તમામ સુવિધાઓ અપાઈ રહી છે. જિલ્લાનું વહીવટી તંત્ર અને લોકોના પ્રતિનિધિ બધા જરૂરી પગલાં લઈ રહ્યાં છે.”
 
માંડવિયાએ ઉમેર્યું કે અતિભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને પાવરકાપ પણ લાગુ કરાયો છે.
 
નોંધનીય છે કે પોરબંદર, જુનાગઢ અને દેવભુમી દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ કારણે કેટલાક રસ્તા, અન્ડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments