Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ફળ ખાધા પછી ભૂલથી પણ ન પીશો પાણી નહી તો થશે પરેશાની

Webdunia
શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2023 (17:48 IST)
water after fruits
Water After Fruits Disadvantage : ફળ આરોગ્યનો ખજાનો હોય છે. વિટામિંસ, મિનરલ્સ, ફાઈબર અને આયરન જેવા પોષક તત્વોથી ભરપૂર ફળ ખાવાના અગણિત ફાયદા હોય છે. જો કે ફળ ખાવાના પણ નિયમ અને સાવધાનિયા હોય છે.  કેટલીક વસ્તુઓની સાથે ફળનુ સેવન નુકશાનદાયક હોઈ શકે છે.  ઘણા લોકો ખોરાક સાથે દિવસે કે બપોરે કે રાત્રે કોઈપણ વસ્તુ સાથે ફળ ખાઈ લે છે જે બિલકુલ યોગ્ય નથી. ફળ ખાધા પછી પાણી પીવુ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.  આ આરોગ્ય માટે ભારે પડી શકે છે.  આવો જાણીએ 5 એવા ફળ વિશે જેમને ખાધા પછી જો  પાણી પીવામાં આવે તો પેટ સાથે સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. 
 
 કેળુ (Banana) - ઊર્જાના મજબૂત સ્ત્રોત કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કેળાને ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે કેળા ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડી શકે છે.
 
જામફળ (Guava)- ફોલિક એસિડ, પોટેશિયમ અને કોપરની સાથે ફાઈબર, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર જામફળ ખાવાથી પાચનની સમસ્યામાં મદદ મળે છે. પરંતુ જામફળ ખાધા પછી પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા બગડી શકે છે.
 
દાડમ (Pomegranate) - દાડમના લાલ દાણા શરીરમાં લોહી વધારીને અને ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનુ કામ કરે છે.  તેને ખાધા પછી ભૂલથી પણ પાણી ન પીવુ જોઈએ. જો તમે દાડમ ખાધા પછી પાણી પીશો તો તમને ઉલ્ટી, એસીડિટીની સમસ્યા થઈ શકે છે. 
 
ખાટા ફટ (Citrus Fruits) ખાટા ફળો જેવા કે નારંગી, આમળા, દ્રાક્ષ અને મીઠો ચૂનો  ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી શરીરના પીએચ લેવલમાં ખલેલ પડી શકે છે. આ પાચન તંત્રને ખલેલ પહોંચાડી શકે છે.
 
તરબૂચ  (Watermelon) - શરીરમાં પાણીની કમીને પૂરી કરવા માટે તરબૂચ ખૂબ લાભકારી હોય છે.  હેલ્થ એક્સપર્ટના મતે તરબૂચ પોતે એક પાણીયુક્ત ફળ છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીઓ તો પાચનતંત્ર બગડી શકે છે. તેનાથી લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments