Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં રોજ ખાવ થોડી મગફળી, પ્રોટીન મળશે ભરપૂર અને બીમારીઓ રહેશે દૂર

Webdunia
શનિવાર, 5 નવેમ્બર 2022 (00:30 IST)
મગફળીના થોડા દાણામાં ઈંડા જેટલું પ્રોટીન હોય છે,  શાકાહારી લોકો તેનું આ રીતે સેવન કરે તો તમામ બીમારીઓથી મળશે રક્ષણ 
 
ઈંડાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જે લોકો શાકાહારી છે તેઓએ શું કરવું જોઈએ? આવા લોકો દરરોજ થોડી મગફળી ખાવાથી શરીરમાં પ્રોટીનની કમી દૂર કરી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમુક મગફળીમાં ઈંડા જેટલું પ્રોટીન હોય છે. તે જ સમયે, 100 ગ્રામ કાચી મગફળીમાં એક લિટર દૂધ જેટલું પ્રોટીન હોય છે. એટલું જ નહીં, મગફળીમાંથી જે અન્ય મિનરલ્સ અને વિટામિન્સ મળે છે તે નોન-વેજમાંથી પણ મળી શકતા નથી.
 
તેથી શિયાળામાં મગફળીનું સેવન સારી રીતે કરવું જોઈએ. નિષ્ણાંતોનું માનવું છે કે કાચી મગફળીને પાણીમાં પલાળીને ખાવામાં આવે તો તેને કોઈપણ ઋતુમાં ગમે ત્યારે ખાઈ શકાય છે. આ કારણે મગફળીના ગુણો વધુ વધે છે. પલાળેલી મગફળી શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને પાચનક્રિયા સુધારે છે. અહીં જાણો તેના અન્ય ફાયદાઓ વિશે.
 
રોગ પ્રતિકારક શક્તિ થાય છે મજબૂત 
 
દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી મગફળીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આના કારણે શરીરને એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક જેવા પોષક તત્વો મળે છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
હૃદય રોગનું જોખમ ઘટાડે 
 
મગફળીમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. આવી સ્થિતિમાં, તે હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
 
ડાયાબિટીસમાં ફાયદાકારક
 
પલાળેલી મગફળી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખૂબ આરામથી ખાઈ શકે છે. આનાથી તેમને ઘણો ફાયદો મળી શકે છે. જે લોકોને ડાયાબિટીસ નથી તેઓ દરરોજ મગફળી ખાય તો આ અસાધ્ય રોગથી સરળતાથી બચી શકે છે. તમે રોજ એક મુઠ્ઠી પલાળેલી મગફળી ખાવાથી તેનો ફાયદો ઉઠાવી શકો છો.
 
ગેસ અને એસિડિટીથી બચાવ 
 
પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો મગફળીમાં જોવા મળે છે. રોજ પલાળેલી મગફળી ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે.
 
સાંધાના દુખાવામાં ફાયદાકારક 
 
મગફળીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેથી જે લોકોને વારંવાર સાંધાનો દુખાવો રહેતો હોય તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં ગોળ સાથે પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને સાંધા અને કમરના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments