Dharma Sangrah

પેનકિલરથી સંકળાયેલી આ 5 ભૂલો વધારી શકે છે પ્રોબ્લેમ

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2018 (07:32 IST)
બદલતા મૌસમ કે દિવસભર કામ કર્યા પછી આજકાલ માથાનો દુખાવો અથવા શરીરના દુખાવાની સમસ્યા સામાન્ય છે. કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરમાં દુખાવો દૂર કરેવા માટે ડૉક્ટરને પૂછ્યા વગર પેનકિલર લે છે. તે સમયે તો તમને શરીર અથવા માથાનો દુખાવોથી આરામ મળે છે પરંતુ પછી આ પેનકિલર રોગોનો કારણ બને છે. કેટલાક લોકો તો થોડું પણ દુખાવો થતાં પેનકિલર લેવાનું શરૂ કરે છે, જે બાદમાં તેમની આદત બની જાય છે.ખોટી રીતે પેનકિલરનું સેવન કરવાથી તમને ઘણા સાઈડ ઈફેક્ટસ પણ થઈ શકે છે. તો ચાલો જાણી કેવી રીતે પેનલિકરનો સેવન તમને નુકશાન પહોંચાડી શકે છે. 
1. પેઇન કિલરથી સંબંધિત ભૂલો 
થાકને કારણે, કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરના દુખાવોની ફરિયાદ કરે છે. આ કિસ્સામાં, ચેક અપ લેવાને  બદલે, પોત જ ડૉકટર બનીને પેનકેકિયર લઈ લે છે.પરંતુ આ તમારા માટે ખતરનાક બની શકે છે. માત્ર પેનકિલર જ નહી પણ વિટામિંસની ગોળીઓ પણ ડૉકટરથી પૂછીને લેવી જોઈએ.ખોટી રીત અને સમય પર પેનિસિલર લેવાથી તમને ઘણા આડઅસરો પણ હોઈ શકે છે તેથી, ડૉકટરને પૂછીને જ આ રીતની દવાઓનું સેવન કરવું. 

2. એક થી વધારે પેનકિલર લેવી 
ઘણીવાર એક પેનકિલરથી દુખાવો ન જતા લોકો થોડા સમય પછી બીજી પેનકીલર લઈ લે છે, જે શરીરને અંદર હાર્મ કરે છે. એક સંશોધન મુજબ એક કરતાં વધુ પેનકિલરના સાઈડ ઈફેક્ટના ખતરા વધારે નાખે છે. કોઈ પણ પેનલિકર નો અસર થવામાં  ઓછામાં ઓછા 30 મિનિટ લાગે છે. તેથી ધૈર્યહીન થઈને પેનકિલરની ઓવરડોજ લેવાથી તમને બ્લીડિંગ, કિડની ફેલિયર, હાર્ટ અટેક, બ્લ્ડ ક્લોટિંગ જેવા રોગોનો જોખમ તમે હોઈ શકે છે. 
3. નિયમિત ભાગ
ઘણીવાર  લોકો તેમના દુખાવાથી આરામ મેળવા માટે આ પ્રકારની ઘણી દવાઓના ટેવાઈ જાય છે અને તેને નિયમિત રૂપે લે છે. પરંતુ શું તમે જાણો છો લાંબા સમય સુધી કોઈ પણ પેનકિલરને ખાવાથી કિડનીની ફેલ, યકૃતને થતા નુકસાન અથવા માનસિક બીમારી થઇ શકે છે. તેથી કોઈપણ પેનકિલર ડૉક્ટરને પૂછ્યા વિના ખાવું નહીં.

4. ખાલી પેટમાં પેનકિલર લેવી - 
ઘણા લોકો  પીડા સહન ન કરવાના કારણે પેનકિલર લે છે પણ તેનાથી તેઓને ગેસ્ટિક અથવા એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત તમારા સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે તેથી, પેનકિલર ખાવાથી પહેલા કઈક જરૂર ખાવું જોઈએ.  
 
5. દવા તોડીને લેવી 
ગોળી નિગળવામાં પરેશાની હોવાના કારણે ઘણા લોકો તેને તોડી ખાય છે. બાળકોને ખાસ કરીને જો તમે દવાઓ તોડીને કે ક્રશ કરીને જ આપો છો. પરંતુ આમ કરવાથી દવા ઝડપથી શરીરમાં ઓગળી જાય છે, જે ઘણી વખત તમારા શરીરને હેન્ડલ કરી શકતી નથી. દવા તોડીને કે ક્રશ કરીને લેવાથી, એ ઓવરડોઝ જેવા કામ કરે છે એના પરિણામ રૂપે, ગોળીને તોડવાને બદલે, તેને આખી લો નહી તો ગોળીનો અડધો ભાગ જ લેવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'ફરીથી ચેમ્પિયન'- RCB ની ખિતાબી જીત પર વિરાટ કોહલીની પોસ્ટ થઈ વાયરલ, મંધાના માટે લખ્યો ખાસ સંદેશ

આવારા કૂતરાના ટોળાએ માસૂમ પર કર્યો હુમલો, 35 ટાંકા લાગ્યા, પિતા બોલ્યા - બે સેકંડ મોડું થતું તો....

કંડોમનાં ઢગલા જોઈ પોલીસ પણ હેરાન, સૂરતમાં સ્પા ની આડમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ

ભારતના આ રાજ્યમાં ધરતીકંપ સતત ધ્રુજી રહી છે ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

વધુ જુઓ..

ધર્મ

શ્રી સંતોષી માતા ચાલીસા

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

આગળનો લેખ
Show comments