Dharma Sangrah

પગના ગોટલા ચઢી જાય તો રાત્રે કરો પિંડીઓની માલિશ, થાકથી મળશે આરામ અને આવશે સારી ઉંઘ

Webdunia
સોમવાર, 28 ઑક્ટોબર 2024 (13:44 IST)
Leg Massage
રાત્રે સૂતા પહેલાપિંડીઓનીની માલિશ કરવી એક સરળ અને પ્રભાવી ઉપાય છે. જે શરીર અને મન બંને માટે લાભકારી છે. વર્તમાન લાઈફસ્ટાઈલમાં  તનાવ અને થાકથી નિપટારા માટે આ એક શાનદાર ઉપાય છે.  આવો જાણી પિંડલીઓની માલિશ કરવાથી શુ શુ ફાયદા થાય છે. 
 
 શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો 
રાત્રે 5 થી 7 મિનિટ પિંડીઓની માલિશ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.  આ માંસપેશીઓની જકડનને ઓછી કરવા અને માનસિક તનાવને ઓછો કરવામાં મદદ કરે છે. 
 
બ્લડ સર્કુલેશનમાં સુધાર 
પિંડલીઓની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે. આ ત્વચા અને આંગળીઓના ઘર્ષણનુ કારણ હોય છે.  જેનાથી માંસ પેશીઓને ઓક્સીજન અને પોષક તત્વ  અધિક મળે છે. તેનાથી ડેમેજ મસલ્સને રિપેયર કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત યોગ્ય લોહી પરિભ્રમણથી શરીરના અંગો સુધી પોષક તત્વોની પહોંચ પણ વધે છે. જેનાથી સમગ્ર સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. નિયમિત માલિશથી તમને તાજગી અને ઉર્જાનો અનુભવ થાય છે. જે તમારા દૈનિક જીવનને સક્રિય બનાવે છે. 
 
નસોને આરામ 
સાધારણ કુણા સરસવના તેલથી પિંડલીઓની માલિશ કરવાથી પગની નસોને આરમ મળે છે. તેનાથી રાત્રે પગમાં દુખાવો અને જકડન સતાવતી નથી. આ ઉપરાંત નિયમિત માલિશથી નસોમાં લોહીનો સંચાર વધે છે. જેનાથી થાક અને તનાવ ઓછો થાય છે. આ પ્રક્રિયા નસોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  જેનાથી તમે વધુ સક્રિય અને ઉર્જાવાન અનુભવ કરો છો.  રાત્રે પગમાં ખેંચાવ અનુભવ થવા પર એ ભાગની માલિશ કરવાથી માંસપેશીઓ ઢીલી થાય છે.  જેનાથી રાહત મળે છે. માલિશથી લિમ્ફેટિક સિસ્ટમ ઉત્તેજીત થાય છે. જેનાથી લૈક્ટિક એસિડ અને અન્ય ટૉક્સિંસનુ નિર્માણ ઓછુ થાય છે.  આ માંસપેશીઓમાં થાક અને દુખાવાને ઓછુ કરે છે. 
 
માંસપેશીઓને તાકત મળે છે 
પિંડીઓની માલિશથી માંસપેશીઓને તાકત મળે છે અને તે ઢીલી થઈ જાય છે. જેનાથી વાગવાનુ ખતરો ઓછો થાય છે. આ ઉપરાંત માલિશથી માંસપેશીઓની લવચિકતા વધે છે, જે કસરત દરમિયાન પ્રભાવ સુધારે છે. નિયમિત મસાજ સ્નાયુઓનો થાક ઘટાડે છે અને તમને વધુ સક્રિય રહેવા દે છે, જે તમારી દિનચર્યામાં ઉર્જાનો સંચાર કરે છે.
 
હાડકાની મજબૂતી 
પિંડીઓની માલિશ હાડકાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. જેનાથી તૂટવાનો ખતરો ઓછો થાય છે.  નિયમિત મસાજ રક્ત પરિભ્રમણને સુધારે છે, જે હાડકાંને જરૂરી પોષક તત્વો અને કેલ્શિયમ પહોંચાડવામાં મદદ કરે છે. પરિણામે, હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે, જેનાથી તમે વિવિધ પ્રવૃત્તિઓમાં સુરક્ષિત રહી શકો છો.
 
દિલના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ઘટાડો
પિંડીઓની માલિશ હાર્ટ રેટને ઓછા કરવામાં અને બ્લડ પ્રેશરને નિયત્રિંત કરવામાં પણ સહાયક હોય છે.  આ લોહી પરિભ્રમણને સારુ બનાવીને દિલની ધડકનને સામાન્ય સ્તર પર લાવે છે. જેનાથી તનાવ અને ચિંતા ઓછી થાય છે. નિયમિત રૂપથી માલિશ કરવાથી  તમને એક સંતુલિત અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે, અને આ હ્રદય સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે.  
 
માનસિક તનાવ ઘટવો 
રાત્રે સૂતા પહેલા પિંડલીઓની માલિશ કરવાથી માનસિક તનાવ અને એંગ્જાયટી ઓછી થાય છે. જેનાથી સારી ઉંઘ આવે છે. પિંડલીઓની માલિશથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જેનથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. 
 
પિંડલીઓની માલિશ કરવાની રીત 
સૌથી પહેલા આરામદાયક સ્થાન પર બેસી જાવ. કુણા સરસવનુ  તેલ લો અને થોડી માત્રામાં તમારા હાથ પર લગાવો. ધીરે ધીરે પિંડલીઓની માલિશ કરો. ધ્યાન રાખો કે દબાણ સાધારણ હોય. 
 
દરેક પિંડી માટે લગભગ 3-5 મિનિટનો સમય આપો. માલિશ પછી થોડો સમય આરામ કરો અને સૂતા પહેલા ખુદને શાંત કરો. 

રાત્રે સૂતા પહેલા તમારા ગોટલાઓની માલિશ કરવી એ એક સરળ ઉપાય છે, જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે. તે માત્ર થાક અને તણાવ જ નથી ઘટાડતુ પણ તમારી ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો આજથી જ આ આદત અપનાવો અને અનુભવો તેના ફાયદા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમેરિકા ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત

Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

આગળનો લેખ