Festival Posters

ભોજન કરતા જ શૌચ જવાની સમસ્યાના શું છે કારણ જાણો તેનાથી છુટાકારો મેળવવાના ઘરેલૂ ઉપાય

Webdunia
રવિવાર, 16 મે 2021 (09:47 IST)
વિચારો તમે કોઈ પાર્ટીમાં ગયા છો ત્યાં તમારી પસંદની ઘણી પ્રકારની વાનગી રાખી છે પણ આ ડિશેજને ખાવાથી ગભરાઈ રહ્યા છો. તેનો કારણ છે કે ભોજન કરવાના થોડીવાર પછી જ તમને ટૉયલેટ તરફ 
ભાગવાની સમસ્યા છે. આ સત્યતા તે લોકો માટે ખૂબ ભયાવહ છે જે આ સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. ભોજન કરતા તરત જ પૉટી લાગવાની સમસ્યને ગેસ્ટ્રો-કૉલિક રિફ્લક્સ કહે છે. જોવાયુ છે કે આ સમસ્યા તે 
લોકોને વધારે આવે છે જે શરૂઆતમાં લાંબા સમય સુધી શૌચને રોકીને રાખે છે. 
 
ઘરેલૂ ઉપચાર 
- મીઠા કેરીનો રસ 50 ગ્રામમાં મીઠો દહીં 10-20 ગ્રામ અને આદુંનો રસ 1 ચમચી ભરી દરરોજ દિવસમાં 2 વાર થોડા દિવસો દર્દીને પીવડાવતા રહેવાથી લાભ થવા લાગે છે. 
- આમલી છાલટાનો ચૂર્ણ 1 થી 6 ગ્રામ સુધી સુધી 20 ગ્રામ તાજા દહીમાં મિક્સ કરી દિવસમાં 2 વાર(સવારે અને સાંજે) ચટાવવાથી બાળકોને આ સમસ્યાથી છુટકારો મળે છે. 
- ઈસબગોળ 4 ગ્રામને 40 ગ્રામ ગરમ જળમાં પલાળી દો. ઠંડુ થતા પર તેમાં 10 ગ્રામ ઓરેંજ કે દાડમનો શરબત મિક્સ કરી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થઈ જાય છે. 
- પિપળી, ભાંગ અને સૂંઠના સમભાગ ચૂર્ણને મધની સાથે સેવન કરતા રહેવાથી ભયંકર સંગ્રહણીમાં પણ લાભ થઈ જાય છે. 
- બેલ ના કાચા ફળને અગ્નિમાં શેકીને પલ્પ કાઢી થોડી ખાંડ મિક્સ કરી સેવન કરતા રહેવાથી રાહત મળે છે. 
-ત્રણ ગ્રામ કેરીના ફૂલનો ચૂર્ણ બારીક વાટીને વાસી જળની સાથે સેવન કરવાથી લાભ હોય છે. 
- ભાંગ 2 ગ્રામ શેકીને 3 ગ્રામ મધમાં મિક્સ કરી ચાટવાથી આરામ મળે છે. 
 
આ ઉપાયોને અજમાવો 
- ભોજન સારી રીતે ચાવીને ખાવો 
- ફાઈબરવાળા ભોજનનો કરો સેવન 
- 3-4 વારમાં થોડુ-થોડું ભોજન કરો. 
 
ભોજનમાં શામેલ કરો આ વસ્તુઓ 
આ સમસ્યાથી બચવા માટે ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોને તમારા ભોજનમાં શામેલ કરવી. ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોમાં નાશપાતી, સફરજન, વટાણા, બ્રોકલી, આખા અન્ન, સેમ અને દાળ શામેલ છે. સાથે જ ભોજનમાં દહીં, કાચુ સલાદ, આદું, પાઈનાપલ, જામફળ વગેરે શામેલ કરવું. તે સિવાય કેળા, કેરી, પાલક, ટમેટા, નટસ અને શતાવરી વગેરે ભોજનમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે તેથી આ ભોજન પણ ફાયદાકારી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાને અમેરિકાને આપી આંખ નાં બદલામાં સર તન સે જુદાની ધમકીમ યુદ્ધ રોકવા માટે મૂકી આ શરતો

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ ! RCB ને મળ્યો નવો માલિક, રેકોર્ડ કિમંતમાં વેચાઈ બેંગલુરૂ ટીમ

અમદાવાદીઓનો નવો ક્રેઝ: પેટ્રોલની અછતની અફવા વચ્ચે EVના વેચાણમાં તોતિંગ ઉછાળો, રોજ 50 વાહનોનું બુકિંગ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: માત્ર વાહનોની ટાંકીમાં જ ભરાશે ઈંધણ

વધુ જુઓ..

ધર્મ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments