Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 દિવસ સુધી ખાવ કાચું લસણ અને મધ, થશે આ ગજબના ફાયદા

diseases
Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (08:18 IST)
લસણ અને મધ એક ખૂબ જ જૂની દવા છે, જેને પહેલાના લોકો  મોટા-મોટા રોગો દૂર કરવા માટે ખાતા હતા. જો તમે હમેશા બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામમાં તમારુ મન નથી લાગતું તો એના સ્પષ્ટ અર્થ છે કે તમારુ ઈમ્યુન સિસ્ટમ નબળુ પડી ગયુ છે. 
જો ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય  તો માણસને  સેંકડો રોગ ઘેરે છે પણ શું તમે જાણો છો લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું  કામ કરે છે. આ એક  પ્રકારનું સુપર ફૂડ છે. 
 
એને બનાવા માટે 2-3 જાડી લસણની કળીને હળવેથી દાબીને કૂટી લો અને પછી એમાં શુદ્ધ  મધ મિક્સ કરો. એને થોડીવાર માટે મૂકી દો, જેથી લસણમાં મધ સારી રીતે મિક્સ થઈ જાય. પછી એને સવારે ખાલી પેટ 7 દિવસ સુધી ખાવ અને પછી જુઓ કમાલ . 
હમેશા કાચુ અને શુદ્ધ મધનો  પ્રયોગ કરો કારણકે આ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એને ખાવાથી વજન પણ ઓછું થાય છે. હવે જાણો આ કાચુ લસણ અને શુદ્ધ મધ ખાવાના લાભ. 

ઈમ્યુનિટી વધારે 
લસણ અને મધના મિશ્રણથી શક્તિ વધે  છે અને પછી આ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ઈમ્યુન સિસ્ટમ મજબૂત થવાથી શરીર મૌસમની મારથી સેફ રહે  છે અને  કોઈ રોગ થતો નથી. 

દિલની સુરક્ષા કરે 
આ મિશ્રણને ખાવાથી હૃદય સુધી જતી ધમનિઓમાં એકત્ર થયેલુ  વસા નિકળી જાય છે. જેનાથી લોહીનો  પ્રવાહ સારી રીતે હૃદય સુધી પહોંચી જાય છે. આનાથી હૃદયની સુરક્ષા થાય છે. 

ગળાની ખરાશ દૂર કરે 
આ મિશ્રણને લેવાથી ગળાનું  સંક્રમણ દૂર થાય છે કારણ કે એમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ છે. આ ગળાની ખરાશ અને સોજો ઓછો કરે છે. 

ડાયેરિયાથી બચાવે 
જો કોઈને ડાયેરિયા થઈ રહ્યો હોય તો તેમને આ મિશ્રણ ખવડાવો. આથી પાચન તંત્ર  ઠીક થઈ જશે અને પેટનું સંક્રમણ મટી  જશે. 

શરદી-ખાંસીથી રાહત 
એને ખાવાથી શરદી-ખાંસી સાથે સાઈનસની પ્રોબ્લેમ પણ ખૂબ ઓછી થઈ જાય છે.  આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે અને રોગોને દૂર રાખે છે.

ફંગલ ઈંફેક્શનથી બચાવે 
ફંગલ ઈંફેક્સ્શન શરીરના ઘણા ભાગો પર હમલા કરે છે  પણ એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું આ મિશ્રણ બેક્ટીરિયાને ખતમ કરી શરીરને બચાવે છે. 

ડીટોક્સ 
આ એક પ્રાકૃતિક ડીટોક્સ મિશ્રણ છે. જેને ખાવાથી શરીરની ગંદકી  અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments