Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા ચણા અમૃત સમાન, આનું સેવન કરવાથી થોડી જ મિનિટોમાં લોહીમાંથી શોષાઈ જશે શુગર, આ રોગોને પણ રોકે છે

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (01:13 IST)
ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. થોડી બેદરકારી તેના દર્દીઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત અસર કરે છે. આવી સ્થિતિમાં, દવાઓ સિવાય, તમે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો. કાળા ચણાને ગુણોની ખાણ કહેવામાં આવે છે તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કાળા ચણા અને તેનું પાણી વધતા શુગરને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને જણાવીએ કે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં ચણા કેવી રીતે અસરકારક છે. એ પણ જાણી લો કે તેનું સેવન કરવું કેવી રીતે ફાયદાકારક રહેશે
 
સુગર કંટ્રોલમાં રહેશે
ચણાના સેવનથી બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરી શકાય છે. ચણામાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. ચણા શરીરમાં હાજર વધારાના ગ્લુકોઝની માત્રાને ઘટાડે છે.
 
આ સમયે ખાવ ચણા 
ડાયાબિટીસના દર્દીઓએ રોજ સવારે ખાલી પેટે ચણાનું સેવન કરવું જોઈએ. તમે બે મુઠ્ઠી ચણા ખાઈ શકો છો. મુઠ્ઠીભર ચણાને આખી રાત પલાળી મુકો. આ ચણાનુ પાણી સવારે ખાલી પેટ પીવો. દરરોજ આવુ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક દેખાશે.
 
આ સમસ્યાઓમાં પણ અસરકારક
 
- પાચનક્રિયા સારી રહે છે -  પલાળેલા ચણા ખાવાથી પાચનશક્તિ મજબૂત રહે છે. ચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ફાઈબર ખોરાકના પાચનમાં મદદ કરે છે. જેથી પાચનતંત્ર સારું રહે. 
- વજન નિયંત્રણમાં રહેશે -  વધતું વજન મોટાભાગના લોકોની સમસ્યા છે. આવી સ્થિતિમાં ચણા તમારા વધેલા વજનને નિયંત્રિત કરવામાં અસરકારક છે. ચણામાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે ભૂખને દબાવી દે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલો અનુભવ કરાવે છે. જેના કારણે શરીરમાં જમા થયેલી ચરબી ઓગળવા લાગે છે.
- આંખોની રોશની વધારે -  ચણા ખાવાથી આંખો પણ સારી રહે છે. ચણામાં બી-કેરોટીન હોય છે. આ તત્વ આંખોના કોષોને થતા નુકસાનને અટકાવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

આગળનો લેખ
Show comments