Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 લોકોએ બદામ બિલકુલ ન ખાવી જોઈએ, જાણો કેમ ?

Webdunia
રવિવાર, 9 ડિસેમ્બર 2018 (08:09 IST)
મગજને તેજ બનાવવા માટે મોટેભાગે લોકોને સવારે પાણીમાં પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.  બીજી બાજુ બદામ ખાવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે.  ઉલ્લેખનીય છે કે બદામમાં પ્રોટીન, વસા વિટામિન અને મિનરલ અન્ય વગેરે ભરપૂર હોય છે.  કદાચ આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાની ડાયેટમાં બદામને સામેલ કરે છે.  ઉલ્લેખનીય છે કે જરૂરી નથી કે બદામ બધા જ માટે લાભકારી હોય. કેટલાક લોકો એવા પણ છે જેમને બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે. 
જો તમે પણ બદામ ખાવ છો તો પહેલા એ જરૂર જાણી લો કે બદામ તમારે માટે લાભકારી છે કે નહી. જેથી તમને પાછળથી કોઈ મુસીબતનો સામનો ન કરવો પડે. આવો જાણીએ બદામ કયા લોકોને નુકશાન પહોંચાડે છે. 
 
1. બ્લડ પ્રેશર - જો તમારુ બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહે છે તો બદામથી દૂર રહો. કારણ કે દવાઓ સાથે બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે અને સમસ્યા વધી શકે છે. 
 
2. પથરી - કિડની કે ગોલ બ્લેડર પથરી કે તેની સાથે જોડાયેલી અન્ય પ્રોબ્લેમ રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે તેમા ઓક્સલેટ વધુ માત્રામાં હોય છે જે તમને નુકશાન પહોંચાડી શકે છે. 
 
3. ડાયજેશન - બદલતી લાઈફસ્ટાઈલમાં ડાયજેશન સાથે જોડાયેલી સમસ્યા મોટાભાગના લોકોને રહે  છે. જો તમને પણ ડાયજેશન સંબંધી સમસ્યા કે એસીડીટી રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે બદામમાં ફાયબર વધુ હોય છે.  જેનાથી પરેશાની વધી શકે છે.  
 
4. જાડાપણુ - જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને બદામ તમારી ડાયેટમાં સામેલ છે તો તેનુ સેવન ન કરો. ઉલ્લેખનીય છે કે બદામમાં કેલોરી અને વસા વધુ હોય છે. આવામાં બદામનું વધુ સેવન કરવાથી જાડાપણુ વધતુ જાય છે. 
 
5. એંટીબાયોટિક મેડિસન - બદલતી જીવનશૈલીમાં કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમ્બ હંમેશા રહે છે અને દવાઓ છે કે પીછો છોડતી નથી.  જો તમે પણ કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે એંટીબાયોટિક મેડિસિન ખાઈ રહ્યા છો તો બદામનું સેવન ન કરો. 
- બદામ હાઈ બ્લડ પ્રેશર માટે પણ સારી હોય છે. બદામનુ સેવન કરવાથી બ્લડમાં અલ્ફા ટોકોફેરોલની માત્રા વધી જાય છે જે કોઈના પણ બ્લડપ્રેશરને કાયમ રાખવા માટે મહત્વપુર્ણ હોય છે. 
 
- રાત્રે પાણીમાં પલાળીને સવારે છાલટા ઉતારીને ખાવી વાંચનારા બાળકો માટે ફાયદાકારી છે. તેનાથી સ્મરણ શક્તિ ઝડપી હોય છે. 
 
- બદામ જમ્યા પછી શુગર અને ઈંસુલિનનુ લેવલ વધતા રોકે છે. જેનાથી ડાયાબિટીસથી બચી શકાય છે.  

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments