Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rules Change From 1 February 2022- હવે 1લી ફેબ્રુઆરીથી બદલાઇ જશે આ નિયમો, સીધી તમારા ખિસ્સા પર પડશે મોટી અસર

Webdunia
રવિવાર, 30 જાન્યુઆરી 2022 (11:37 IST)
1 ફેબ્રુઆરી 2022થી બેંકથી સંકળાયેલા ઘણા નિયમો બદલશે. તેની સાથે દર મહીનાની 2 તારીખને રાંધણગેસની કીમત પણ રજૂ થાય છે. તેમજ દરેક વર્ષ 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ (Budget 2022-23) રજૂ કરશે. જેનાંથી દેશની અર્થવ્યવસ્થામાં પણ ઘણો ફેરફાર થશે. બજેટ સિવાય પણ 1 ફેબ્રુઆરીથી અનેક મહત્વનાં ફેરફાર થવાના છે. ત્યારે આ ફેરફારની સીધી અસર હવે તમારા ખિસ્સા પર પડશે.
 
SBI કરી રહી છે મોટા ફેરફારો!
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈંડિયા 2 લાખથી 5 લાખ રૂપિયાના વચ્ચે  IMPS ટ્રાજેક્શન કરવા પર હવે 20 રૂપિયાના સાથી જીએસટી પણ વસૂલશે. તમને જણાવીએ કે આરબીઆઈએ ઓક્ટોબર 2021માં  IMPSના ટ્રાજેકશનની લિમિટ વધારીને 2 લાખથી વધારીને 5 લાખ કરી દીધી હતી. તેથી હવે એસબીઆઈના કસ્ટમર દરરોજ 2 લાખ રૂપિયા 5 લાખનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. 
 
 
બેંક ઓફ બરોડાએ પણ બદલ્યા આ નિયમો - 1 ફેબ્રુઆરીથી બેંક ઓફ બરોડાના ગ્રાહકોના ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે. હવે 1 ફેબ્રુઆરીથી ગ્રાહકોએ ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે ચેકથી સંબંધિત માહિતી મોકલવાની રહેશે, તો જ ચેક ક્લિયર થશે. આ ફેરફાર રૂ. 10 લાખથી વધુના ચેક ક્લિયરન્સ માટે છે. 
 
PNB ને પણ SBI જેવો આંચકો - પંજાબ નેશનલ બેંકે EMI અથવા અન્ય કોઈપણ વ્યવહાર ખાતામાં અપૂરતી બેલેન્સને કારણે નિષ્ફળતા માટે 250 રૂપિયા દંડ તરીકે લેવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી PNB ગ્રાહકને દંડ તરીકે 100 રૂપિયા ચૂકવવા પડતા હતા.
 
LPG LPG સિલિન્ડરની કિંમત - LPG ની કિંમત દર મહિનાની 1લી તારીખે બહાર પાડવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે 1 ફેબ્રુઆરીના રોજ સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરે છે કે કેમ, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકાર એલપીજીના ભાવમાં વધારો નહીં કરે તેવી અપેક્ષા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments