Webdunia - Bharat's app for daily news and videos

Install App

એર કેનેડાની ફ્લાઇટને વાવાઝોડાની અસર:હવામાં બેલેન્સ ગુમાવતાં 4 પેસેન્જરને ઈજા

Webdunia
બુધવાર, 25 મે 2022 (10:20 IST)
સોમવારે દિલ્હી-જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણ ખરાબ થતાં 5 ડોમેસ્ટિક અને 2 ઇન્ટરનેશનલ મળીને 7 ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી. દિલ્હીથી કેનેડા જતી એર કેનેડાની ફ્લાઈટે હવામાં બેલેન્સ ગુમાવતાં ચાર પેસેન્જરને નાની-મોટી ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વહેલી સવારે વાતાવરણ સુધરતા ડોમેસ્ટિક ફલાઇટને અઢીથી 3 કલાક બાદ પાછી મોકલી દેવાઇ હતી. જયારે ઇન્ટરનેશનલ ફલાઇટના પેસેન્જરોને હોટલમાં ઉતારો અપાયો છે.દિલ્હી અને જયપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી ખરાબ વાતાવરણ સર્જાતાં દિલ્હી અને જયપુર જતી 5 ડોમેસ્ટિક અને 2 ઇન્ટરનેશનલ ફલાઇટને સોમવારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઇ હતી. જેમાં કેનેડાથી દિલ્હી જતી એર કેનેડાની ફલાઇટે થોડા સમય માટે હવામાં બેલેન્સ ગુમાવ્યું હતું અને ફલાઇટ ઊંચી નીચી થતાં પેસેન્જરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.પાયલોટે આ ઘટનાની જાણ એટીસીને કરતા એટીએસ અધિકારીએ તાત્કાલિક ઇમરજન્સી ડિકલેર કરી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને અન્ય એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી. ત્યારબાદ રાત્રે 12 પછી એર કેનેડાની ફલાઇટ અમદાવાદ સુરક્ષિત લેન્ડ થઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments