Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત મેઘતાંડવ માતમમાં ફેરવાયુ, 2 ના થયા મોત

ગુજરાત મેઘતાંડવ માતમમાં ફેરવાયુ, 2 ના થયા મોત
, સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (18:52 IST)
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત સહિત આખા દેશમાં અત્યારે મેઘતાંડવ થઈ રહ્યો છે, આજે આ મેઘતાંડવ ત્યારે માતમમાં ફેરવાઈ ગયુ જ્યારે આજે અમદાવાદમાં અંડરબ્રિજમાં તણાઇ જવાના કારણે એક જવાનજોધ યુવકનું મોત થયું છે ત્યારે જામજોધપૂરથી પણ ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.
 
જામજોધપુરનાં ગીંગણી ગામે ખેડૂત પોતાના બળદો સાથે તણાઇ ગયો હોવાની ઘટના સામે આવી રહી છે. વેણુ નદીમાંથી પસાર થતી વખતે જ આ ઘટના સામે આવી છે. ચોંકવાનારી બાબત છે કે શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ખેડૂતની શોધખોળ હજુ ચાલુ છે. ખેડૂતનાં પરિવારનાં લોકો પણ આ ઘટના બાદ હેબતાઈ ગયા છે અને તેમની માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યનું ગૃહવિભાગ એક્શનમાં, વિધાનસભા ગૃહ ગાજ્યો મુન્દ્રામાં પકડાયેલા ડ્રગ્સનો મુદ્દો