Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં પડેલા કમોસમી વરસાદથી ઓછા પાકના કારણે કેસર કેરીની કિંમતો વધુ રહેવાની શક્યતા

mango
Webdunia
સોમવાર, 26 માર્ચ 2018 (12:09 IST)
શિયાળામાં પડેલા કમોસમી વરસાદના કારણે આ વર્ષે ગીરમાં કેસર કેરીનો પાક આશરે ૧૫થી ૨૦ ટકા ઓછો ઉતર્યો છે. જેના કારણે આ વર્ષે કેરીના ભાવ સતત ઊંચા રહે તેવી સંભાવના છે. કેસર કેરી ઉગાડતા જિલ્લાઓ ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ગત વર્ષે ૨.૧૧ લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું, જ્યારે આ વર્ષે ૧.૭૮ લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. આ પંથકમાં કેરીના ૧૫ લાખથી પણ વધુ વૃક્ષો આવેલા છે. શિયાળાના કમોસમી વરસાદ અને આ વર્ષે સાનુકૂળ વાતાવરણના કારણે કેસર કેરીનો પાક ઓછો ઉતર્યો છે. કેસરના પાક પર વાતાવરણની અસર બહુ જલદી થતી હોય છે. ૧૫મી એપ્રિલ આસપાસ કેસર કેરી તાલાલાના માર્કેટિંગ યાર્ડ સહિતના વિવિધ બજારોમાં આવી જશે. ગત વર્ષે કેસર કેરીની કિંમત શરૃઆતમાં ૭૦૦ રૃપિયા પ્રતિકિલો હતી જે અંતે ૫૦૦ રૃપિયા પ્રતિકિલો પહોંચી હતી. આ વર્ષે કેસર કેરીની તબક્કાવાર કિંમતોમાં ઓછામાં ઓછા ૧૫ ટકાનો વધારો થવાના સંકેતો છે. ક્લાઈમેટ ચેન્જથી કેસર કેરીના પાક પર થતી માઠી અસરોને નિવારવા હાલ ખેડૂતો વિવિધ કૃષિવિશેષજ્ઞાોની મદદ લઈ રહ્યા છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments