Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મો 100 કરોડ કમાય સાહેબ પણ મંદીના કારણે સોની કામ કરતાં 35 હજાર કારીગરો બેકાર

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (12:30 IST)
દેશભરમાં મંદીને કારણે હજ્જારો લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે ત્યારે સોનાને ચમક આપતા બંગાળી કારીગરો પર આ મંદીના મારમાં સપડાયા છે. દિવાળી આવે અને સોનાની ખરીદી કરે પણ આ વર્ષે મંદીના કારણે સોનાની ખરીદી ઓછા થાય તેવી શક્યતા છે અને એટલા કારણે જ, સોનાને ચમક આપતા બંગાળી કારીગરો પણ બેકાર બનવા લાગ્યા છે. સોનાના વેપારીઓને ઓર્ડર મળતા નથી એટલા માટે કારિગરો પાસે કામ નથી. એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં સોનાની વિવિધ પેઢીઓમાં કામ કરતા 35 હજારથી વધુ બંગાળી કારીગરો અમદાવાદ છોડી બીજા રાજ્યોમાં અથવા તો વતન તરફ જતા રહ્યાં છે. દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે અમદાવાદના સૌથી જૂના માર્કેટ એવા માણેકચોકમાં ચમક રહેતી હોય ત્યાં હાલ દૂકાનો બંધ હાલતમાં છે. આની સીધી અસર સોનીને ત્યાં કામ કરતા કારીગરો પર પડી છે. જે કારીગરો સવાર-સાંજ અને નાઈટ શિફટ કરીને સોનાના દાગિના બનાવીને મહિનામાં રૂપિયા 40 હજાર કમાતા હતા તે કારિગરો પાસે દિવસનાં આઠ કલાકનું પણ કામ નથી.કારીગરોની મુશ્કેલી એ છે કે, તેમને ગુજરાતમાં રોજીરોટી મળે છે પરંતુ હવે તો, ગુજરાતમાં જ કામ નથી. છેલ્લાં 6 મહિનાથી તેમને રોકડામાં કોઈ કામ નથી મળતું. 10 વર્ષ પહેલાં પશ્વિમ બંગાળના કોલકાતાથી અમદાવાદ આવેલા શ્યામલ કોમલકલ નામના કારીગરે માણેકચોકમાં દાગિના બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments