Webdunia - Bharat's app for daily news and videos

Install App

એયર ઈંડિયા એક્સપ્રેસની એક્શન, સિક લીવ પર ગયેલા તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

Webdunia
ગુરુવાર, 9 મે 2024 (10:29 IST)
એર ઈન્ડિયા એક્સપ્રેસનુ નાટક ઓછુ થાય એવુ લાગતુ નથી.  ક્રૂ મેમ્બર્સ એક દિવસ પહેલા સીક લીવ પર જતા રહેવાથી ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. . હવે એ વાત સામે આવી છે કે એરલાઈન્સે તે સભ્યોને ટર્મિનેશન લેટર આપી દીધા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે સામૂહિક રજા પર ગયેલા તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
All Air India Express
ટાટા ગ્રૂપની એર ઈન્ડિયા એક્સપ્રેસ હવે તે ક્રૂ મેમ્બર્સ સામે એક્શન મોડમાં આવી છે જેઓ એકસાથે સીક લીવ પર ગયા હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસે ક્રૂ મેમ્બર્સના એ ગ્રુપને તેમની નોકરીમાંથી કાયમી ધોરણે બરતરફ કરી દીધા છે. આવા ક્રૂ મેમ્બર્સની સંખ્યા 25થી વધુ હોવાનું કહેવાય છે. માંદગીની રજા પર તેમના અચાનક પ્રસ્થાનને કારણે, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. કંપની દ્વારા આવા ક્રૂ મેમ્બર્સને ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા છે. એક ક્રૂ મેમ્બરને મોકલવામાં આવેલા ટર્મિનેશન લેટરમાં, એરલાઈને જણાવ્યું હતું કે કેબિન ક્રૂ મેમ્બર્સ "લગભગ તે જ સમયે" બીમાર થવાથી સંકેત મળે છે કે તેઓએ આવું જાણી જોઈને કર્યું હતું.
 
પકડાવ્યો ટર્મિનેશન લેટર 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ટર્મિનેશન લેટરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કામ કરતા પહેલા બીમારીની જાણ કરવી એ દર્શાવે છે કે ક્રૂ મેમ્બર્સ જાણીજોઈને ફ્લાઈટ ઓપરેશનમાં વિક્ષેપ પાડવા માંગતા હતા. જે કાયદા અને નિયમો વિરુદ્ધ છે. આ ઉપરાંત ક્રૂ મેમ્બરોએ એર ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ એમ્પ્લોઈ સર્વિસ રૂલ્સનું પણ ઉલ્લંઘન કર્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના સીઈઓ આલોક સિંઘના જણાવ્યા અનુસાર, મંગળવાર રાત્રે  100 થી વધુ કેબિન ક્રૂ મેમ્બરોએ તેમની નિર્ધારિત ફ્લાઇટ ડ્યુટી પહેલા બીમાર હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેના કારણે 90થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments