Webdunia - Bharat's app for daily news and videos

Install App

Air India: નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર કર્યો પેશાબ, લાગી શકે છે આજીવન પ્રતિબંધ

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2023 (18:25 IST)
ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું કે બધા જોતા જ રહી ગયા. તેણે બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો. આરોપ છે કે મહિલાની ફરિયાદ બાદ પણ કેબિન ક્રૂ મેમ્બર્સ દ્વારા વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખવામાં આવ્યો છે, ત્યારબાદ જ મામલાની તપાસ શરૂ થઈ છે.
 
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજાગ ન હતા. એરલાઈન્સ દ્વારા તેમની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, એમ તેમણે જણાવ્યું હતું.
 
શુ છે સમગ્ર મામલો 
મહિલાએ તેના પત્રમાં જણાવ્યું છે કે તે ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટથી દિલ્હી જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં મુસાફરી કરી રહી હતી. લંચ પછી વિમાનની લાઈટો બંધ થઈ ગઈ. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ મારી સીટ પાસે આવ્યો અને મારા પર પેશાબ કર્યો. આ પછી પણ તે વ્યક્તિ મારી પાસે ઉભો રહ્યો. સહ-પ્રવાસીએ કહ્યું પછી તે ત્યાંથી હટ્યો. 
 
ડિસઈનફ્કેટ છાંટીને ત્યાથી જતી રહી એયર હોસ્ટેસ 
 
મહિલાએ જણાવ્યું કે, ઘટના બાદ તેના કપડા, બેગ, જૂતા પેશાબથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેણે આ અંગે ક્રૂ મેમ્બર્સને જાણ કરી, ત્યારબાદ એર હોસ્ટેસ આવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને જતી રહી. થોડા સમય પછી તેને પાયજામા અને ડિસ્પોઝેબલ ચપ્પલની જોડી આપવામાં આવી. મહિલાએ કહ્યું, પેશાબ કરનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો.
 
એયર ઈંડિયાએ નોંધાવી એફઆઈઆર 
 
ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખ્યા બાદ એર ઈન્ડિયા કાર્યવાહીના મૂડમાં છે. એક અધિકારીએ જણાવ્યું કે, 26 નવેમ્બરે બનેલી આ ઘટનાના સંબંધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય એર ઈન્ડિયા દ્વારા આ ઘટનાની તપાસ માટે એક આંતરિક સમિતિની પણ રચના કરવામાં આવી છે અને પુરુષ મુસાફરને 'નો-ફ્લાય લિસ્ટ'માં મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
 
ડિરેક્ટોરેટે રિપોર્ટ માંગ્યો
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે પણ આ મામલે એરલાઈન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. નિદેશાલયનું કહેવું છે કે બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે એર ઈન્ડિયાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી રહી છે.
 
આરોપી પર 30 દિવસનો પ્રતિબંધ
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપી પેસેન્જર પર 30 દિવસ અથવા આંતરિક સમિતિના નિર્ણય સુધી, બેમાંથી જે વહેલો આવે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તે એર ઈન્ડિયા સાથે ઉડાન ભરી શકશે નહીં.  સાથે જ આ મામલે ક્રૂની બેદરકારીની તપાસ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

આગળનો લેખ
Show comments