Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીઆર પાટીલે કેજરીવાલના 'કંસની ઓલાદ' નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું

Webdunia
મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (08:54 IST)
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેજરીવાલે 8 ઑક્ટોબરે વડોદરામાં આપેલા 'કંસની ઓલાદોનો નાશ કરવા માટે ભગવાને મને મોકલ્યો છે' નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.
 
તેમણે કેજરીવાલને ભાષા પર સંયમ રાખવા અને ખોટું બોલવાનું બંધ કરવાની સલાહ આપી હતી.
 
આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 8 ઑક્ટોબરે ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા ત્યારે રાજ્યનાં વિવિધ શહેરોમાં તેમને હિન્દુ ધર્મ વિરોધી ચીતરતા પોસ્ટર્સ લાગ્યાં હતાં. આ વિવાદાસ્પદ ઘટના સામે કેજરીવાલે 8 ઑક્ટોબરની સાંજે વડોદરામાં યોજાયેલી તિરંગા રેલી બાદ આપેલા ભાષણમાં પ્રતિક્રિયા આપી હતી.
 
તેમણે પોતાના વિરોધમાં લગાડેલાં પોસ્ટર્સ માટે ભાજપને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે, ભાજપ તેમની નફરતમાં એટલો આંધળો થઈ ગયો છે કે પોસ્ટર પર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું.
 
તેમણે પોતાને ધાર્મિક અને હનુમાનજીના ક્ટ્ટર ભક્ત ગણાવતા કહ્યું હતું કે, આ બધા કંસની ઓલાદ છે. તેમણે જાહેર સભામાં એમ પણ જણાવ્યું હતું હતું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને ભગવાને તેમને કંસની ઓલાદોનો નાશ કરવા માટે મોકલ્યા છે.
 
કેજરીવાલના આ નિવેદન સામે પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે કહ્યું કે, કેજરીવાલ જેવો જુઠ્ઠો માણસ તેમણે જોયો નથી.
 
પાટીલે વિગતો આપતા જણાવ્યું હતું કે, કેજરીવાલનો જન્મ 16 ઑગસ્ટ 1968ના રોજ થયો હતો અને એ વર્ષે જન્માષ્ટમી 15 ઑગસ્ટે હતી. તો પછી કેજરીવાલ ખોટું કેમ બોલ્યા?
 
તેમણે કેજરીવાલે ભાજપ માટે કરેલી ટિપ્પણીને ગુજરાતીઓ સાથે જોડીને કહ્યું કે, તેમણે (કેજરીવાલે) ગુજરાતના લોકોને કંસ કહ્યા છે. ગુજરાતના લોકોને કંસ કહેવા અને પછી તેમના જ મત લેવા માટે ગુજરાત આવવું એ ગુજરાતમાં જ શક્ય બને. આમ કરીને તેમણે કેજરીવાલને પોતાની ભાષા પર સંયમ રાખવા અને ખોટું બોલવાનું બંધ કરવાની સલાહ આપી હતી.
 
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments