Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી ગુજરાતના પ્રવાસે કેજરીવાલ અને ભગવંત માન, વડોદરામાં ત્રિરંગા યાત્રા, સુરતમાં કરશે જનસભા

kejrival
, શનિવાર, 8 ઑક્ટોબર 2022 (10:27 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ શનિવારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન શનિવારે બપોરે દાહોદ જિલ્લામાં નવજીવન કોલેજ કેમ્પસમાં એક વિશાળ જાહેર સભાને સંબોધશે. જાહેરસભા બાદ બંને નેતાઓ વડોદરામાં AAP દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લેશે.
 
રવિવારે બંને નેતાઓ વલસાડ જિલ્લાના ધરમપુર અને સુરતના કડોદરા ખાતે જાહેરસભાને સંબોધશે. AAPના રાષ્ટ્રીય મહાસચિવ મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે તેઓ સામાજિક નેતાઓને પણ મળશે અને આગામી ચૂંટણીની યોજનાઓ અંગે રાજ્યના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરશે.
 
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઈને ખૂબ જ સક્રિય જોવા મળે છે અને તેઓ દર 10 દિવસમાં લગભગ એક વખત ગુજરાતની મુલાકાતે આવે છે. અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. બે દિવસ પહેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપે મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રીની જવાબદારી લાદી છે. તેમણે તેને ભાજપનો ડર ગણાવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પહેલાં ભેસ અને હવે ગાય, વંદે ભારતની 2 દિવસમાં 2 ટક્કર, માલિક વિરૂદ્ધ કેસ દાખલ