Dharma Sangrah

ભાજપની નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ, ચોક્કસ વ્યૂહરચના સાથે ઉમેદવારોની પસંદગી થશે

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (15:39 IST)
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપાંખીયો જંગ જામી ગયો છે. તેવામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભાજપ હવે નિરીક્ષકોને મેદાનમાં ઉતારી રહી છે. એક બાજુ આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી એકપછી એક જાહેર કરતી રહે છે, ત્યારે બીજી બાજુ ભાજપ વિચારણા કરીને ચોક્કસ વ્યૂહરચના સાથે ઉમેદવારોની પસંદગી આગળ વધારી રહી છે. અત્યારે ભાજપ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી મુદ્દે મોટો નિર્ણય લેવાયો છે. ભાજપ દ્વારા નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ બનાવી છે. એમના દ્વારા 27,28 અને 29 તારીખે વિધાનસભાના પ્રવાસો કરીને જે જે લોકોને ઉમેદવારી નોંધાવવી હોય તેમની સાથે વન ટુ વન ચર્ચા કરશે. આની સાથે ઉમેદવારી ઈચ્છુક લોકો વાર્તાલાપ કરી એક રિપોર્ટ તૈયાર કરશે. ત્યારપછી આ રિપોર્ટને પર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે તથા આના આધારે ટિકિટોનું ગણિત પણ થઈ શકે એવી ધારણા કરાઈ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, BJP 2/3થી વધુની બહુમતીથી સરકાર બનાવશે.7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે નિવેદન આપતા કહ્યું કે, આવનાર ચૂંટણીમાં ભાજપ 2/3થી વધુની બહુમતીથી ચૂંટણી જીતશે. અને 7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. અને ભાજપ બહુમતી પ્રાપ્ત કરશે. સૌરાષ્ટ્ર અંગે કહેતા કહ્યું કે ગત ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વધુ સીટ આવશે. ગત ચૂંટણીમાં અલગ અલગ સમાજના આંદોલનો હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Winter solstice Day 2025: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

Modern Baby Names 2026: ભૂલી જાવ જૂના નામ, આ છે 2026 નાં સૌથી લેટેસ્ટ અને મોર્ડન બેબી નેમ્સનું લીસ્ટ

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

આગળનો લેખ
Show comments