Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 600 રૂપિયામાં ફરો PMનું આખુ ગામ, જોવા મળશે મોદી ક્યા ચા વેચતા હતા...

Webdunia
રવિવાર, 19 નવેમ્બર 2017 (07:23 IST)
વર્ષ 1950માં વડનગર, મહેસાણા, ગુજરાતમાં ખૂબ જ સાધારણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે. એક ચા વેચનારો ભવિષ્યમાં પીએમ પણ બનશે એ કોઈએ વિચાર્યુ નહોતુ. પણ પ્રધાનમંત્રી મોદી અને તેમની ચા છેલ્લા કેટલાક સમયમાં ચર્ચામાં રહી છે. મોદીનુ બાળપણ ખૂબ જ રસપ્રદ રહ્યુ હવે દેશના દરેક નાગરિકને એ જોવા અને સમજવાની તક મળી રહી છે અને એ પણ માત્ર 600 રૂપિયામાં. જી હા, ગુજરાત ટુરિઝમ તમને મોદીનુ ગામ ફેરવવાની ઑફર લાવ્યુ છે. 
 
ઓફરમાં શુ શુ હશે ? 
 
તમે માત્ર 600 રૂપિયા ખર્ચ કરીને એ જાણી શકો છો કે પીએમ મોદીનો જન્મ ક્યા થયો. તેઓ ચા ક્યા વેચતા હતા. તેમણે હાઈસ્કૂલ ક્યાથી કરી. એટલુ જ નહી તમે તેમના ક્લાસમેટને પણ મળી શકો છો. ગુજરાત પર્યટન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) ની પાર્ટનર અક્ષય ટ્રેવલ્સ પ્રાઈવેટ લિમિટેડ તરફથી આ ઑફર આપવામાં આવી છે. તેમા દર રવિવારે તમને અમદાવાથી મોદીના વિલેજ સુધી ફેરવવામાં આવશે. આ ટૂરનુ નામ 'એ રાઈઝ ફ્રોમ મોદીઝ વિલેજ' મુકવામાં આવ્યુ છે.  
 
સવારે આઠ વાગ્યે શરૂ થશે ટૂર 
 
ટૂર અમદાવાદ અને ગાંધીનગરથી સવારે 8 વાગ્યે શરૂ થશે. સફર દરમિયાન સૌ પહેલા મોઘેરા સ્થિત સૂર્ય મંદિરના દર્શન થશે.  ત્યારબાદ બપોરે 12.30 વાગ્યા સુધી ટૂર વડનગર પહોંચશે. અહી પહોંચતા મુસાફરોને ટ્રેડિશનલ ગુજરાતી થાળીમાં લંચ પીરસવામાં આવશે.  ત્યારબાદ શરૂ થશે મોદીના ગામની મુસાફરી. 
 
હવે આવશે મોદીનું ઘર 
 
- મોદીનું ઘર : વડનગરમાં લંચ પછી સૌ પહેલા મુસાફરોને નરેન્દ્ર મોદીના ઘરે લઈ જવામાં આવશે. અહી પીએમનો જન્મ થયો હતો. 
-પ્રાઈમરી શાળા : ત્યારબાદ આવશે મોદીની પ્રાઈમરી શાળા - વડનગર પ્રાથમિક કુમાર શાળા. અહીથી મોદીએ પોતાની સ્કૂલિંગ કરી. 
- મોદીની હાઈસ્કૂલ : ત્રીજા પડાવમાં આવશે મોદીની હાઈસ્કૂલ - આ એ જ સ્થાન છે જ્યા તેમને અનેક નાટકોમાં ભૂમિકા ભજવી. 
- પછી મળશો મોદીના ક્લાસમેટ : હાઈસ્કૂલથી નીકળ્યા પછી મુસાફરોને મોદીના ક્લાસમેટને મળવાની તક મળશે. જે તમને મોદીના રોમાંચક કિસ્સા સંભળાવશે.  તમારા તમામ પ્રશ્ન નએ તેના જવાબ આ ટૂરને તમારા જીવનની યાદગાર ટૂર બનાવી દેશે. 
- હટકેશ્વર મંદિર - મોદીના ક્લાસમેટને મળ્યા પછી 17મી સદીના હતકેશ્વર મંદિરના દર્શન કરાવવામાં આવશે. મોદી અહી પ્રાર્થનાના સમયે આવતા હતા અને ડ્રમ વગાડતા હતા. 
-હેરિટેઝ ગેટ્સ : ત્યારબાદ મુસાફરોને હેરિટેઝ ગેટ્સ લઈ જવામાં આવશે. 
- બુદ્ધ પ્રતિમાના દર્શન : આગલો પડાવ રહેશે બુદ્ધ પ્રતિમાના દર્શન. 
- શર્મિષ્ઠા લેક : ત્યારબાદ વડનગરનુ જાણીતુ શર્મિષ્ઠા લેક ફેરવવામાં આવશે. અહી મગરમચ્છનો બેડો જોવા મળશે. 
- રેલવે સ્ટેશન : આ એ જ સ્થાન છે જ્યા મોદી પોતાના પિતા સાથે શરૂઆતના દિવસોમાં સ્ટોલ પર ચા વેચતા હતા.  આજે પણ અહી ટી સ્ટૉલ છે. 
 
સાંજે 6 વાગ્યે ખતમ થશે ટૂર 
 
એક દિવસમાં મોદીનુ આખુ ગામ ફર્યા પછી સાનેજ 6 વાગ્યે ટૂર ખતમ થશે. અહી પરત મુસાફરોને અમદાવાદ અને ગાંધીનગર લઈ જવામાં આવશે. 
 
કેવી રીતે બુક કરાવી શકો છો ટૂર 
 
તમે અક્ષર ટ્રવેલ્સ પ્રાઈવેટ લિમિટેડની વેબસાઈટ પર જઈને ટૂર વિશે માહિતી મેળવી શકો છો. કંપની ફક્ત રવિવારના દિવસે ટૂર પર લઈ જશે. આ ટૂરનો ચાર્જ પ્રતિ વ્યક્તિ 600 રૂપિયા છે. પહેલા તમારે અમદાવાદ પહોંચવુ પડશે. ત્યારબાદ અહીથી એસી બસથી વડનગર સુધીની યાત્રા શરૂ થશે.  
 
ઈ-મેલ -  akshartours@ymail.com
ફોન નંબર : +91-79- 2644 0626 / 2656 0637 / 2656 0360 / 2644 5037
ટોલ ફ્રી નંબર -  1800 233 9008

ફોટો સૌજન્ય - અક્ષર 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments