Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોની યાદી જાહેર ના કરી, ઉમેદવારોના ફાંફાં

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (12:15 IST)
રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ કરવાના મનસૂબા સાથે ભાજપ સાથે રાજકીય ભાઇબંધી કરનારાં શંકરસિંહ વાઘેલાનો ગુજરાતના રાજકારણમાં દબદબો ઘટી રહ્યો છે તેવુ સાબિત થઇ રહ્યું છેકે, બાપુએ રચેલાં જનવિકલ્પ પક્ષ માટે ઉમેદવારો ય મળતાં નથી. આ કારણોસર જ જનવિકલ્પ પક્ષે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ભાજપની બી ટીમ રૃપે કામ કરવાની છબી ઉભરાતાં મતદારો જનવિકલ્પથી દૂરી બનાવી રહયાં છે.

કોંગ્રેસનો છેડો ફાડતાં ભાજપને એવુ હતુંકે,બાપુ કોંગ્રેસનો સફાયો કરી દેશે પણ રાજ્યસભાના પરિણામે ભાજપનો આ રાજ્કીય ભ્રમ ભાંગી નાંખ્યો હતો. બાપુએ મોટાઉપાડે તમામ બેઠકો પર ચૂંટણી લડવા જાહેરાત કરી હતી પણ અત્યારે તો ભાઇબાપા કહીને ઉમેદવારો ઉભા રાખવાનો વારો આવ્યો છે. ઘણાં ઓછા લોકોએ આ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા નક્કી કર્યું છે. સૂત્રો કહે છેકે, અમુક વિસ્તારોમાં જનવિકલ્પને ઉમેદવારો ય મળતાં નથી. જનવિકલ્પની દશા એવી છેકે, રાજ્સ્થાનની એક પક્ષ સાથે જોડાણ કરી ટ્રેકટરનું નિશાન પણ જાણે ઉછીનુ લેવુ પડયું છે. અત્યારે તો વહેલા તે પહેલા ધોરણે જે ઉમેદવારે આવે તેને મેન્ડેટ આપી દેવાનુ જનવિકલ્પ પક્ષે નક્કી કર્યું છે. ભાજપ સાથે સોદો કરી મતોમાં વિભાજન કરવાનુ બીડુ ઝડપનારાં શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ પક્ષને ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી. ખુદ લોકો જ કહી રહ્યાં છેકે, બાપુનો ગુજરાતના રાજકારણમાં હાઉ ભૂંસાઇ રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments