Festival Posters

બેરોજગારીના આંકડા જાણ્યા વિના રાહુલ ગાંધી ખોટું બોલી પ્રજાને ગુમરાહ કરે છે - રૂપાણી

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (14:32 IST)
બારડોલીના હીરાચંદ નગર ખાતે ચાતુર્માસ માટે પધારેલા જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજના દર્શન કરવા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી તેમના ધર્મપત્ની સાથે આવ્યા હતા. જૈનચાર્ય સાથે એકાદ કલાકની મંત્રણા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ માંસની નિકાસમાં ૧૧ ટકા ઘટાડો થયો છે. અને દેશના તમામ સાધુ સંતો રાજી છે.

ચાતુર્માસ માટે પધારેલા પદ્મવિભુષણ આચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજ શનિવારે બારડોલીથી પરિવર્તન કરનાર છે. આજે સવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીની આચાર્ય રત્નસુંદરસુરીશ્વર સાથે મુલાકાતનો કાર્યક્રમ નક્કી થતાં નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મુખ્યમંત્રી તેમના પત્ની સાથે જૈન ઉપાશ્રય પર પહોંચી ગયા હતા. જ્યાં ભાજપના સ્થાનિક નેતાઓ અને જૈન આગેવાનોએ અભિવાદન કર્યું હતું. આચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજના કક્ષમાં આર્શીવચન મેળવી એક કલાક સુધી મંત્રણા કરી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા વિજય રૃપાણીએ જણાવ્યું કે, દેશમાં કોંગ્રેસની સરકારી હતી તે સમયે પિન્ક રિવોલ્યુશન એટલે કે માંસની નિકાસ વ્યાપક હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સત્તા સંભાળ્યા બાદ નિકાસમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. ભાજપ પ્રત્યેક જીવની દયા, સલામતી અને સુરક્ષાનો વિચાર કરી રહી છે. અને તેનાથી સમગ્ર દેશના સાધુ-સંતો રાજીપો અનુભવે છે. ગુજરાત અડીખમ બની રહે, પ્રગતિના નવા શિખરો સર કરે તેવા આશીર્વાદ માંગ્યા હોવાનું જણાવ્યું હતું. રાહુલગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસ અંગે જણાવ્યું કે, ખોટુ બોલી પ્રજાને ગુમરાહ કરે છે. ગુજરાતમાં સરકારી શાળા બંધ થઇ તેમ કહે છે પરંતુ વર્ષ ૨૦૦૦ પછી શાળા કોલેજમાં વધારો થયો છે. ગુજરાતમાં ૩૦ લાખ યુવાનો બેરોજગારની વાત કરે છે. પરંતુ સરકારી નોંધણીના આંકડા એકદમ ઓછા છે. બેરોજગારી અને ગરીબી કોંગ્રેસના મુળમાં છે. બાદમાં વ્યારા રોડ પર આવેલા અગાસી મતાના મંદિરે બ્રહ્મલીન થયેલા પૂ.દવેબાપુના પરિવારને મળી શાંત્વના પાઠવી સીધા સુરત ઓરપોર્ટ જવા રવાના થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

આગળનો લેખ
Show comments