Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેરોજગારીના આંકડા જાણ્યા વિના રાહુલ ગાંધી ખોટું બોલી પ્રજાને ગુમરાહ કરે છે - રૂપાણી

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (14:32 IST)
બારડોલીના હીરાચંદ નગર ખાતે ચાતુર્માસ માટે પધારેલા જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજના દર્શન કરવા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી તેમના ધર્મપત્ની સાથે આવ્યા હતા. જૈનચાર્ય સાથે એકાદ કલાકની મંત્રણા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ માંસની નિકાસમાં ૧૧ ટકા ઘટાડો થયો છે. અને દેશના તમામ સાધુ સંતો રાજી છે.

ચાતુર્માસ માટે પધારેલા પદ્મવિભુષણ આચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજ શનિવારે બારડોલીથી પરિવર્તન કરનાર છે. આજે સવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીની આચાર્ય રત્નસુંદરસુરીશ્વર સાથે મુલાકાતનો કાર્યક્રમ નક્કી થતાં નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મુખ્યમંત્રી તેમના પત્ની સાથે જૈન ઉપાશ્રય પર પહોંચી ગયા હતા. જ્યાં ભાજપના સ્થાનિક નેતાઓ અને જૈન આગેવાનોએ અભિવાદન કર્યું હતું. આચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજના કક્ષમાં આર્શીવચન મેળવી એક કલાક સુધી મંત્રણા કરી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા વિજય રૃપાણીએ જણાવ્યું કે, દેશમાં કોંગ્રેસની સરકારી હતી તે સમયે પિન્ક રિવોલ્યુશન એટલે કે માંસની નિકાસ વ્યાપક હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સત્તા સંભાળ્યા બાદ નિકાસમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. ભાજપ પ્રત્યેક જીવની દયા, સલામતી અને સુરક્ષાનો વિચાર કરી રહી છે. અને તેનાથી સમગ્ર દેશના સાધુ-સંતો રાજીપો અનુભવે છે. ગુજરાત અડીખમ બની રહે, પ્રગતિના નવા શિખરો સર કરે તેવા આશીર્વાદ માંગ્યા હોવાનું જણાવ્યું હતું. રાહુલગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસ અંગે જણાવ્યું કે, ખોટુ બોલી પ્રજાને ગુમરાહ કરે છે. ગુજરાતમાં સરકારી શાળા બંધ થઇ તેમ કહે છે પરંતુ વર્ષ ૨૦૦૦ પછી શાળા કોલેજમાં વધારો થયો છે. ગુજરાતમાં ૩૦ લાખ યુવાનો બેરોજગારની વાત કરે છે. પરંતુ સરકારી નોંધણીના આંકડા એકદમ ઓછા છે. બેરોજગારી અને ગરીબી કોંગ્રેસના મુળમાં છે. બાદમાં વ્યારા રોડ પર આવેલા અગાસી મતાના મંદિરે બ્રહ્મલીન થયેલા પૂ.દવેબાપુના પરિવારને મળી શાંત્વના પાઠવી સીધા સુરત ઓરપોર્ટ જવા રવાના થયા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments