Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ કાશ્મીરમાં શહિદ થયેલા અમદાવાદના જવાનને વિદાય આપવા અમદાવાદ ઉમટ્યું

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (14:22 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામાના સાંબૂરામાં આતંકીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલા ફાયરિંગમાં અમદાવાદી જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહ સહિત બે જવાનો શહીદ થયા હતા. કુશવાહનો પાર્થિવ દેહને શુક્રવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આજે સવારે વીર શહીદની અંતિમ યાત્રા સૈન્ય સન્માન સાથે નીકળી હતી. શહીદના પાર્થિવ દેહની અંતિમયાત્રા મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાંથી નીકળી હતી.

શહીદ જવાનને અંતિમ વિદાય દેવા માટે મોટી સંખ્યામાં મેઘાણીનગર વિસ્તાર અને શહેરના અન્ય ભાગોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. વીર શહીદના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારત માતા કાજે શહીદી વ્હોરનાર શહીદ પ્રદીપસિંહની અંતિમયાત્રા શહેરભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સૈન્ય સન્માન સાથે વીર જવાનની અંતિમ યાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી. જેમાં અંતિમયાત્રામાં જોડાનાર લોકો દ્વારા વંદે માતરમ્, ભારત માતા કી જય અને શહિદ પ્રદીપસિંહ અમર રહોના નારા લાગ્યા હતા. અંતિમયાત્રા સ્મશાનગૃહે પહોંચી હતી ત્યાં શહીદને સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. શહીદના કાકા રાકેશ કુશવાહે જણાવ્યું હતું કે ,‘અમે ચારેય ભાઇઓ આર્મીમાં જોડાવા માંગતા હતા, પરંતુ આર્થિક કારણોસર એ શક્ય ન બન્યું. જેથી ભાઇના બન્ને દીકરા પિતાની ઇચ્છાથી આર્મીમાં જોડાયા હતા. પ્રદીપ ચાર વર્ષથી આર્મીમાં જોડાયો હતો. તેનો નાનો ભાઇ કુલદીપ(19) પણ બે મહિના પહેલા આર્મીમાં જોડાયો છે તેની જબલપુરમાં ટ્રેનિંગ ચાલી રહી છે. 40 દિવસ પહેલા પ્રદીપનું પોસ્ટિંગ કાશ્મીરમાં થયું હતું. એ પહેલા તે નવરાત્રીમાં ઘરે આવ્યો હતો.’ આ સાથે ત્યાં રહીશોમાં વાત ચર્ચાઇ રહી હતી કે આજે માતા પિતા તેની સગાઇ નક્કી કરવા ગયા હતા. પરંતુ સંબંધ થઈ શક્યો નહોતો.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments