Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ IPS અધિકારીઓની ચૂંટણી લડવાની ઈચ્છા અધુરી રહી ગઈ

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2017 (17:42 IST)
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેવામાં એક સમયે જેઓ આ ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી જોરદાર અટકળો હતી તેવા ગુજરાતના ત્રણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી. વણઝારા, એન.કે અમિન અને તરુણ બારોટના નામ ક્યાંય ખોવાઈ ગયા છે. ઈશરત જહા એન્કાઉન્ટર કેસના આરોપી ડીજી વણઝારાએ તો પોતાની જેલમુક્તિ બાદ અનેક રેલીઓ પણ કાઢી હતી, અને પોતે ચૂંટણી લડવાના છે તેવા સ્પષ્ટ સંકેત પણ આપી દીધા હતા. હવે ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એકેય પક્ષે વણઝારાને ટિકિટ નથી આપી ત્યારે વણઝારાએ એક અખબારને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની એનજીઓ દ્વારા સોશિયલ વર્ક ચાલુ રાખશે. એન્કાઉન્ટર કેસના અન્ય આરોપી પોલીસ અધિકારી એનકે અમીન અને તરુણ બારોટ પણ આ ચૂંટણી લડવા ઈચ્છુક હતા. તેમણે જો ટિકિટ મળે તો ચૂંટણી લડવા તેઓ તૈયાર છે.  એન.કે. અમીનને નિવૃત્તિ બાદ પણ સરકારે કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂંક આપતા તેઓ ભાજપની ખૂબ નજીક હોવાની પણ ચર્ચા હતી પણ હવે તેમના સપના અધુરા રહી ગયાં છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments