Festival Posters

ચૂંટણી પંચે ફરાર થયેલા 80 વોન્ટેડની યાદી મગાવી

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (13:09 IST)
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતમાં આચારસંહિતા તાત્કાલીક અસરથી લાદી દેવાઈ. શરૂઆતની ઘડીથી જ ચૂંટણી પંચ આકરા પાણી હોય તેવો ઘાટ ઘડાવા લાગ્યો છે. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ. હાલ રાજ્યભરની તમામ ચેક પોસ્ટ પર કડક વોચ ગોઠવી દેવાઈ છે તો શહેરો કે જિલ્લાઓની સરહદે પણ વાહનોની તપાસ થવા લાગી છે. અમદાવાદમાં પણ ગણે તે સમયે ગમે તે જગ્યાએ પોલીસવાહનો વાહન ચેકીંગથી માંડીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવા લાગ્યાં છે.

ચૂંટણી દરમિયાન કોઈ જ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી કડક વલણ અપનાવનારા ઈલેક્શન કમિશને શહેરના પેરોલ અને ફર્લો પર જેલમાંથી નીકળીને ફરાર થઈ ગયેલા ૮૦ જેટલા લોકોની યાદી મંગાવી હોવાનું પણ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાત પોલીસ માટે વર્ષોથી રજા લઈને ફરાર થતા કેદીઓ માથાનો દુખાવો સાબીત થયા છે. ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓનું કહેવું છે કે, ગુજરાતનો જ આરોપી હોય તો તેને પરત શોધવામાં ગમે તેટલા સમયે સફળતા મળે છે. પરંતુ જ્યારે કોઈ બીજા રાજ્યનો આરોપી પેરોલ કે ફર્લો પર બહાર નીકળીને પરત હાજર થતો નથી ત્યારે પોલીસ એજન્સીઓને નોટીસ આપીને તેમની તપાસના આદેશ અપાય છે. સ્વાભાવિક છે કે, જેલમાંથી ‘આઝાદ’ થયેલો કેદી કોઈ દિવસ પોતાના ઘરે હાજર મળવાનો હોતો નથી. છતાં પોલીસ ફરજના ભાગ રૂપે એક-બે વાર તપાસ કરતી હોય છે. સૂત્રોનું કહેવું છે કે, હાલ અમદાવાદના જ ૮૦ કેદીઓ એવા છે કે જે પેરોલ કે ફર્લો પર રજા મેળવીને બહાર નિકળ્યા બાદ ક્યારેય જેલમાં પરત ફર્યા નથી. આખી ગુજરાતની તમામ સેન્ટ્રલ જેલનો આંકડો ખાસો મોટો છે. હાલ ઈલેક્શન કમિશને હાલ અમદાવાદના વોન્ટેડની યાદી મંગાવી છે. શક્ય છે કે આ આરોપીઓની શોધખોળનું એક અલાયદુ ઓપરેશન પણ ટુંક સમયમાં હાથ ધરવામાં આવે. જેનો હેતુ ચૂંટણી દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટેનો જ હોવાનું પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments