Webdunia - Bharat's app for daily news and videos

Install App

આનંદીબેન પટેલનો પત્ર કેમ લીક થયો ?

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (12:12 IST)
ચૂંટણી આડે હવે માંડ પૂરા બે મહિના પણ રહ્યા નથી ત્યાં જ ફરીથી ભાજપમાં ભડકો થયો છે. આનંદીબહેન પટેલે ૪થી ઓકટોબરે અમિત શાહને લખેલો પત્ર ૯મીએ કેવી રીતે લીક થયો એ પ્રશ્ન ખુબ જ મોટો છે. આનંદીબહેનનાં સમર્થકો દ્રઢપણે માને છે અને કહે છે કે પોતાના પુત્ર જય શાહનું કૌભાં દબાવવા માટે જ અમિત શાહે આ પત્ર લીક કરાવ્યો છે. પત્ર લીક થયા બાદ ગાંધીનગરમાં આવેલા આનંદીબહેનનાં બંગલે તેના સમર્થકો મોટી સંખ્યામાં આવી ગયા હતા.

તેઓ ખુબ જ ગુસ્સામાં હતા. તેમજ આ ટોળુ એક તબક્કે પાઠ ભણાવવાનાં હેતુથી અને ઘાટલોડીયામાંથી બહેનને જ ટિકિટ મળવી જોઈએ તેવી માગણી સાથે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જવાનું હતું. પણ છેલ્લી ઘડીએ આનંદીબહેને બધાને સમજાવી લેતા મામલો શાંત થયો હતો. જય અમિત શાહની કંપનીનું પ્રકરણ બહાર આવ્યું તેમાં અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન મોદી પર પણ માછલા ધોવાનું શરૃ થયું છે. પારદર્શક અને ભ્રષ્ટાચારયુક્ત વહીવટની ગૂલબાંગો વચ્ચે જયની કંપનીનો રોકેટ ગતિથી વિકાસ થયો તે જાણીને સમગ્ર દેશ ચોંકી ઊઠયો છે. કાર્યકરો કહે છે કે પાટીદારોનાં આંદોલન બાદ સરકારની નીતિને કારણે પાટીદારો ભાજપની વિરુદ્ધ થઇ ગયા હતા. પરંતુ હવે આનંદીબહેનને ફરીથી પક્ષમાંથી કાયમી માટે હાંકી કાઢવાની પેરવી થતા મોટા ભાગના પાટીદારો ભાજપ વિરોધી થઇ જશે. જેની સીધી અસર ચૂંટણી પર થશે એ નિશ્ચિત છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments