Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદીઓ સિંધુભવન તરફ જતાં વિચારજો, આ તારીખ સુધી અપાયું ડાયવર્જન

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (18:31 IST)
G-20 બેઠક પહેલા અમદાવાદમાં U-20 સમિટનું આયોજન કરાયું છે. જેમાં 35થી વધુ દેશોના પ્રતિનિધિઓની સિટી શેરપા ઈન્સેપ્શન બેઠકની વિધિવત શરુઆત આવતીકાલે સવારે ગુરુવારે સાડા દસ વાગ્યાથી થશે. શહેરમાં સિંધુભવન રોડ પર સ્થિત તાજ સ્કાયલાઈન હોટેલ ખાતે તમામ મુખ્ય બેઠકો યોજાશે. ત્યારે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે, 8થી 11 ફેબ્રુઆરી સુધી સિંધુભવન રોડ ટ્રાફિક માટે બંધ રહેશે. 
 
પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો
પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે આજથી અમદાવાદનો સિંધુ ભવન રોડ શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં ટોરફેન્સ્ટર ટીથી હોટેલ તાજ સ્કાયલાઈન સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. તેના વૈકલ્પિક રસ્તા તરીકે ટોરફેન્ટસ્ટરથી જમણી બાજુ વળી ઔડા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સર્વિસ રોડ પર થઈને અવર જવર કરી શકાશે. તે ઉપરાંત ટોરફેન્સ્ટરથી ડાબી બાજુ વળી ઓર્નેટ પાર્ક પાછળ થઈ સિંધુભવન રોડ તરફ અવર જવર કરી શકાશે. 
 
અમદાવાદ શહેર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
પોલીસના જાહેરનામા પ્રમાણે પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ પર વાહન પાર્કિંગ કરવા માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહીં. તે ઉપરાંત પોલીસ કમિશ્નરે જાહેરનામામાં અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન તરીકે જાહેર કર્યું છે. 
 
દીપ પ્રાગટ્સ સાથે બેઠકનો આરંભ થશે
G-20 બેઠકના પહેલા દિવસના પ્રથમ સત્રની શરુઆત તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન પળાશે. ત્યારબાદ બેઠકનો આરંભ થશે.મેયર દ્વારા સ્વાગત સંબોધન કરવામાં આવશે.ભારતના શેરપા અમિતાભ કાંત જી-20 કોલ ફોર એક્શન મુદ્દે સંબોધન કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીના વર્ચ્યુઅલ સંબોધન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ U-20 કન્વીનર દ્વારા વેલકમ નોટ રજૂ કરાશે. કન્વીનર દ્વારા તમામ સિટી શેરપાનો પરિચય આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments