Webdunia - Bharat's app for daily news and videos

Install App

Crime News - સુરતના કિમમાં ઘરજમાઈ તરીકે રહેતા પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (16:07 IST)
સુરતના કિમ ગામમાં પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પંચવટી સોસાયટીમાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીની હત્યા પાછળનું કોઈ જ કારણ જાણી શકાયું નથી. જોકે યુવતીનાં પરિવારજનોએ ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે. જ્યારે પતિ પણ ઘરને તાળું મારી ભાગી ગયો છે.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક કિરણ ગોડના 6 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરવામાં આવી છે. પતિએ જ રાત્રિ દરમિયાન હત્યા કરી હોવાનો મૃતક યુવતીનાં પરિવારજનોનો આક્ષેપ છે. હત્યા કર્યા બાદ પતિ ઘરને તાળું મળી ભાગી ગયો છે. હાલ કિમ પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી છે.પરિવારે જણાવ્યું હતું કે કિરણ ગૌડ (દીકરી)ના રૂમમાં વહેલી સવારે તાળું મારેલું જોતાં માતાપિતા આશ્ચર્યમાં આવી ગયાં હતાં. બારીમાંથી નજર કરતાં કિરણ ગૌડનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ દેખાયો હતો.

6 મહિના પહેલાં જ કિરણ ગૌડના લગ્ન હરિશ્ચંદ્ર ગૌડ સાથે થયા હતા. છેલ્લા ચાર માસથી હરિશ્ચન્દ્ર ગૌડ પત્નીના ઘરે જ એટલે કે ઘર જમાઈ બનીને રહેતો હતો.ત્રણ દિવસ બાદ ઘરે આવેલા પતિ હરિશ્ચંદ્ર ઘરને બહારથી તાળું મારી ભાગી જતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. હાલ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે દીકરીની હત્યા તેના જ પતિ હરિશ્ચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી છે. પોલીસે કિરણના મૃતદેહનો કબજો લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments