Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં એકતરફી પ્રેમ કરતાં યુવકે યુવતીને જાહેરમાં રહેંસી નાખી, કેમ વ્યક્તિ પોતાના પ્રેમની હત્યા કરવા સુધી પહોંચી જાય છે?

Webdunia
શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (19:13 IST)
વૅલેન્ટાઇન ડેના બે દિવસ પહેલાં સુરતમાં કથિતપણે એકતરફી પ્રેમમાં યુવકે યુવતીના ઘર પાસે જઈને ધમાલ મચાવી હતી.
યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરતાં તેમને બચાવવા માટે વચ્ચે પડેલી યુવતીના ગળા પર ચપ્પુ ફેરવીને યુવકે તેની પણ હત્યા કરી હતી.
ત્યાર બાદ પોતાના ખિસ્સામાંથી કોઈ પદાર્થ કાઢીને ખાધા બાદ હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
 
જોકે, યુવકને તો સમયસર સારવાર મળી જતાં તેનો તો જીવ બચી ગયો છે, પરંતુ યુવતીએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો.
 
શું હતી સમગ્ર ઘટના?
કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, 20 વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી કાપોદરા વિસ્તારમાં રહેતા ફેનીલ ગોયાણી નામના યુવાન હેરાન કરતા હતા. યુવતીએ આ અંગે તેમના પરિવારને પણ જાણ કરી હતી.
 
પરિવારજનોએ અગાઉ પણ ફેનીલ સાથે વાત કરીને યુવતીને હેરાન ન કરવા કહ્યું હતું.
 
શનિવારે સાંજે છ વાગ્યાની આસપાસ ફેનીલ યુવતીના ઘર પાસે આવ્યા હતા. જેની જાણ થતાં યુવતીએ તેમના ભાઈને આ અંગે કહ્યું હતું.
 
યુવતીના પિતા હાલમાં દક્ષિણ આફ્રિકા હોવાથી તેમના મોટા પપ્પા અને ભાઈ ફેનીલ સાથે વાત કરવા ગયા હતા.
 
જોકે, ઉશ્કેરાયેલા ફેનીલે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને યુવતીના મોટા પપ્પાને માર્યું હતું. તે સમયે વચ્ચે પડેલા યુવતીના ભાઈને પણ હાથ પર ચપ્પુ વાગ્યું હતું.
 
ફેનીલ દ્વારા આ બન્ને પર હુમલો કરાતા છોડાવવા માટે યુવતી વચ્ચે પડ્યાં હતાં. જેથી ફેનીલે તેમને પણ પકડી લીધાં હતાં.
 
પોતાના પરિવારના બે સભ્યો પર હુમલો કર્યા બાદ ફેનીલે યુવતીને પકડતાં તેઓ ગભરાઈ ગયાં હતાં અને તેમણે બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી.
 
તે સમયે હાજર એક વ્યક્તિ દ્વારા લેવાયેલા વીડિયોમાં ફેનીલ યુવતીને પાછળથી પકડીને ઊભા હોય તેવુ દેખાઈ રહ્યું છે.
 
થોડીવાર સુધી કંઈક બોલ્યા બાદ ફેનીલે યુવતીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. જેથી તેઓ ઢળીને જમીન પર પડી ગયાં હતાં.
 
વીડિયોમાં આગળ ફેનીલ પોતાના હાથમાં ચપ્પુ રાખીને ખિસ્સામાંથી એક પડીકી કાઢતા નજરે પડે છે અને પડીકીમાંથી વસ્તુ કાઢીને ખાતા દેખાય છે.
 
પોલીસ ફરિયાદમાં તેને ઝેરી દવા જેવો પદાર્થ કહેવામાં આવ્યો છે.
 
આમ કર્યા બાદ ફેનીલે ચપ્પા વડે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
 
પોલીસ હત્યાના આરોપીની હાલ સારવાર ચાલી રહી હોવાનું જણાવે છે
 
ડીવાયએસપી બી. કે. વનારના જણાવ્યા પ્રમાણે, મૃતક અને હત્યા કરનાર બન્નેની ઉંમર અંદાજે 20-21 વર્ષ છે.
 
તેમના જણાવ્યા પ્રમાણે, બન્ને એક જ કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં અને કદાચ સ્કૂલમાં પણ એકસાથે હતાં.
 
એક સાથે અભ્યાસ કરવાના કારણે જ તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હોવાનું ડીવાયએસપી વનારનું માનવું છે.
 
હત્યા કરવા પાછળના કારણ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે, "તે (ફેનીલ) પહેલેથી જ નક્કી કરીને આવ્યો હતો. તેણે હત્યા કર્યા બાદ ઝેરી પાઉડર જેવો પદાર્થ પી લીધો હતો અને જાતે જ હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો."
 
તેમણે વધુમાં જણાવ્યું કે, "હાલમાં ફેનીલ હૉસ્પિટલમાં છે. જ્યાં તેના હાથ પર એક ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરી શકાશે.
 
 
તેમના જણાવ્યા પ્રમાણે, બન્ને એક જ કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં અને કદાચ સ્કૂલમાં પણ એકસાથે હતાં.
 
એક સાથે અભ્યાસ કરવાના કારણે જ તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હોવાનું ડીવાયએસપી વનારનું માનવું છે.
 
હત્યા કરવા પાછળના કારણ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે, "તે (ફેનીલ) પહેલેથી જ નક્કી કરીને આવ્યો હતો. તેણે હત્યા કર્યા બાદ ઝેરી પાઉડર જેવો પદાર્થ પી લીધો હતો અને જાતે જ હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો."
 
તેમણે વધુમાં જણાવ્યું કે, "હાલમાં ફેનીલ હૉસ્પિટલમાં છે. જ્યાં તેના હાથ પર એક ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરી શકાશે."
 
પણ શા માટે માણસ આ હદ સુધી પહોંચી શકે?
માણસ ક્યારે પોતાની પસંદના પાત્રની હત્યા કરીને જાતે મરવાનો પ્રયત્ન કરી શકે?
 
માણસ ક્યારે પોતાની પસંદના પાત્રની હત્યા કરીને જાતે મરવાનો પ્રયત્ન કરી શકે? આ પ્રશ્નનો જવાબ શોધવા બીબીસી ગુજરાતીએ મનોચિકિત્સકનો સંપર્ક કર્યો હતો.
 
વડોદરામાં આવેલી બરોડા મેડિકલ કૉલેજમાં ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકિયાટ્રીકના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટ જણાવે છે કે, આ પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર છે.
 
તેમના પ્રમાણે, "એકતરફી પ્રેમમાં ગુસ્સો એ સૌથી મોટું અસર કરતું પરિબળ છે. જ્યારે એક વ્યક્તિ અન્યને પ્રેમ કરતી હોય અને તેને સામેથી સરખો પ્રતિભાવ ન મળે ત્યારે ગુસ્સો વધતો જાય છે.
 
જેમ જેમ ગુસ્સો વધે છે, તે સારું-નરસું શું છે? તેનો ભેદ ભૂલી જાય છે અને આ સ્થિતિ સર્જાઈ શકે છે."
 
આ સિવાય નશો કરવાની આદત પણ એટલી જ જવાબદાર હોવાનું તેમનું માનવું છે.
 
ડૉ. ચિરાગ બારોટ કહે છે કે, "ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઑર્ડર"થી પીડાતા લોકો પણ પોતાની આસપાસ શું થઈ રહ્યું છે અને તેમની કોઈપણ પ્રતિક્રિયાથી લોકોને કે લોકો પર શું અસર પડશે તેનાથી અજાણ થઈ જતા હોય છે."
 
આ જ કારણથી જ્યારે તેઓ હત્યા કરવા કે આત્મહત્યા કરવાનું વિચારે છે તો તેમને આ પગલું યોગ્ય છે કે નહીં? તેની ખબર નથી પડતી અને જ્યારે પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

શું પીરિયડ્સના લોહીમાં દુર્ગંધ આવવી તે સામાન્ય છે

Moral Story - સોનેરી છાણની વાર્તા

આગળનો લેખ
Show comments