Dharma Sangrah

ઘરમાંથી ભાગી પુત્રી તો પિતાએ લખાવી કિડનેપિંગની રિપોર્ટ, તપાસ કરી તો ખુલી બાપની કરતૂત

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (15:10 IST)
મુંબઈમાં એક વ્યક્તિએ પોતાના સગીર પુત્રીના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી પણ જ્યારે મામલાની તપાસ આગળ વધારી તો જે સામે આવ્યુ તેણે પોલીસ કર્મચારીઓના પણ હોશ ઉડાવી દીધા.  પોલીસને જાણ થઈ કે તે છેલ્લા પાંચ વર્ષથી કથિત રૂપે પોતાની પુત્રીનુ યૌન શોષણ કરી રહ્યો હતો અને તેના ચંગુલમાંથી બચવા માટે તે ઘર છોડીને જતી રહી હતી. પોલીસે આ માહિતી આપી. 
 
પોલીસે આરોપીની ગુરૂવારે ધરપકડ કરી લીધી અને તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS) અને યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ (POCSO) અધિનિયમ હેઠળ મામલો નોંધી લીધો.  પોતાના પિતાની કૂરતા થી તંગ આવીને એક કિશોરી બુધવારે મઘ્ય મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલ પોતાનુ ઘર છોડીને જતી રહી.  પુત્રીની કોઈ ભાળ ન મળતા આરોપી પિતાએ તાડદેવ પોલીસ મથક પર ફરિયાદ નોંધાવી કે તેની પુત્રીનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે ફરિયાદના આધાર પર અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો મામલો નોંધવામાં આવ્યો અને પીડિતાની શોધ શરૂ કરવામાં આવી. 
 
મહાલક્ષ્મી સ્ટેશન પર મળી બાળકી 
શોધ દરમિયાન પોલીસની અપરાધ શાખાની ટીમને પીડિતા પશ્ચિમ રેલવેના મહાલક્ષ્મી સ્ટેશન પર મળી. અધિકારી જણાવ્યુ કે યુવતીને અપરાધ શાખાના કાર્યાલય લઈ જવામાં આવી જ્યા પૂછપરછ દરમિયાન તેણે પોતાના પિતા દ્વારા વારેઘડી યૌન શોષણ કરવાની ચોખવટ કરી.  અધિકારી મુજબ સગીરે પોલીસને જણાવ્યુ કે તેના પિતા છેલ્લા 5 વર્ષથી તેનુ યૌન શોષણ કરી રહ્યા હતા. તેની ફરિયાદના આધાર પર પ્રાસંગિક ધારાઓમાં મામલો નોંધવામાં આવ્યો છે. 
 
આરોપીની મેડિકલ તપાસ કરાવવામાં આવી 
અધિકારીએ જણાવ્યુ કે પોલીસ ઈંસ્પેક્ટર સદાનંદ યેરકરની આગેવાનીમાં અપરાધ શાખાની ટીમે પીડિતાના પિતાની શોધ શરૂ કરી અને જાણ થઈ કે તે સાત રાસ્તા સર્કલ ક્ષેત્રમાં છે.  પછી તેની ત્યાથી ધરપકડ કરી લેવામાં આવી. તેમણે જણાવ્યુ કે આરોપીની મેડિકલ તપાસ કરાવવામાં આવી અને તેના વિરુદ્ધ નોંધવામાં આવેલ તપાસ માટે તેને તાડદેવ પોલીસને સોંપવામાં આવ્યો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ