Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના વેપારીને આંખના લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો, ચેન્નઈના ઠગોએ 17.84 લાખ ખંખેરી લીધા

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2023 (13:32 IST)
ચેન્નઈના ઠગોએ પાંચ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરાવી 17.84 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી લીધું
વેપારીએ સાયબર ક્રાઇમ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
 
આજના આધુનિક યુગમાં ઓનલાઈન ફ્રોડ વધી રહ્યાં છે. લોકો સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી બેંકમાંથી રૂપિયા ઉપડી જવાની ઠગાઈની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક સિનિયર સિટિઝન વેપારીને આંખના લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો છે. ચેન્નઈના ઠગોએ ટ્રેકોન કુરિયરમાં પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવીને 17.84 લાખ રૂપિયા આ સિનિયર સિટિઝન વેપારીના એકાઉન્ટમાંથી કાઢી લીધા હતાં. આ વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ દવે વિમા એજન્ટ તરીકેનું કામ કરે છે. તેમને સાબરકાંઠાના ઈડરમાં સ્થિત શ્રીમદ જેસિંગ બાપા હોસ્પિટલમાંથી મોતિયાના ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો. જેથી મારા કઝિન ભાઈ રાજેશભાઈ દવે મુંબઈ ખાતે રહે છે. તેઓ આ લેન્સ માટેની હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન શીપ ધરાવે છે. તેમને વોટ્સએપ પર આ ઓર્ડરનો મેસેજ કર્યો હતો. તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, લેન્સનો ઓર્ડર ચેન્નઈ આપી દીધો છે અને તે ટ્રેકોન કુરિયર મારફતે મોકલી આપશે. 
 
બે દિવસ બાદ ઓર્ડર નહીં મળતાં ટ્રેકોન કુરિયરના કર્મચારી સાથે વાત કરતાં તેણે પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા કહ્યું હતું. ત્યાર બાદ તેણે મોબાઈલ નંબર અને એડ્રેસ મંગાવ્યું હતું. બીજા દિવસે ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી 17 લાખ 84  હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. ત્યારબાદ ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

યુપીના બહરાઈચમાં શુક્રવારની નમાજ પહેલા સુરક્ષા સઘન, બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ચૂંટણી લડતા શરદ પવારે આ નેતાનું નામ ઉઠાવ્યું, ઉદ્ધવ-કોંગ્રેસ પક્ષમાં નથી.

આગળનો લેખ
Show comments