Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના વેપારીને આંખના લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો, ચેન્નઈના ઠગોએ 17.84 લાખ ખંખેરી લીધા

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2023 (13:32 IST)
ચેન્નઈના ઠગોએ પાંચ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરાવી 17.84 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી લીધું
વેપારીએ સાયબર ક્રાઇમ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
 
આજના આધુનિક યુગમાં ઓનલાઈન ફ્રોડ વધી રહ્યાં છે. લોકો સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી બેંકમાંથી રૂપિયા ઉપડી જવાની ઠગાઈની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક સિનિયર સિટિઝન વેપારીને આંખના લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો છે. ચેન્નઈના ઠગોએ ટ્રેકોન કુરિયરમાં પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવીને 17.84 લાખ રૂપિયા આ સિનિયર સિટિઝન વેપારીના એકાઉન્ટમાંથી કાઢી લીધા હતાં. આ વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ દવે વિમા એજન્ટ તરીકેનું કામ કરે છે. તેમને સાબરકાંઠાના ઈડરમાં સ્થિત શ્રીમદ જેસિંગ બાપા હોસ્પિટલમાંથી મોતિયાના ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો. જેથી મારા કઝિન ભાઈ રાજેશભાઈ દવે મુંબઈ ખાતે રહે છે. તેઓ આ લેન્સ માટેની હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન શીપ ધરાવે છે. તેમને વોટ્સએપ પર આ ઓર્ડરનો મેસેજ કર્યો હતો. તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, લેન્સનો ઓર્ડર ચેન્નઈ આપી દીધો છે અને તે ટ્રેકોન કુરિયર મારફતે મોકલી આપશે. 
 
બે દિવસ બાદ ઓર્ડર નહીં મળતાં ટ્રેકોન કુરિયરના કર્મચારી સાથે વાત કરતાં તેણે પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા કહ્યું હતું. ત્યાર બાદ તેણે મોબાઈલ નંબર અને એડ્રેસ મંગાવ્યું હતું. બીજા દિવસે ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી 17 લાખ 84  હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. ત્યારબાદ ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments