Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cup: જય શાહના નિવેદનથી ભડક્યુ પાકિસ્તાન, વર્લ્ડ કપ રમવાનો કર્યો ઈંકાર

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2022 (13:21 IST)
- આવતા વર્ષે પાકિસ્તાનમાં એશિયા કપ રમાશે 
- ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહી કરે 
- ભારતે 2008થી પાકિસ્તાનમાં એક પણ મેચ રમી નથી 
World Cup: મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ અનેક મોટા નિર્ણય લીધા. જેમાથી આવતા વર્ષે પાકિસ્તાનમાં થનારા એશિયા કપમાં ભારતનુ ન જવાનુ પણ સામેલ હતુ. બીસીઆઈ સચિવ જય શાહે કહ્યુ કે ભારત આવતા વર્ષે પાકિસ્તાનમાં થનારા એશિયા કપમાં ભાગ નહી લે.  તેમના આ નિર્ણય પછી ક્રિકેટ જગતમાં બબાલ મચી ગઈ છે.  હવે પીસીબીના સૂત્રો તરફથી એક વધુ મોટો નિર્ણય લેવાના સમાચાર સામે આવી છે. 
 
બીસીસીઆઈના સચિવ જય શાહે એશિયા કપને તટસ્થ સ્થળ પર રમવાના નિવેદન પર મોટી પ્રતિક્રિયા વ્યક્ત કરતા પાકિસ્તાનને મંગળવારે આવતા વર્ષે ભારતમાં થનારા વનડે વિશ્વ કપમાંથી હટવાની ધમકી આપી 
 
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસસીસી)ના એક્ઝિક્યુટિવ બોર્ડના નિર્ણય અનુસાર પાકિસ્તાન આવતા વર્ષે એશિયા કપની યજમાની કરવાનું છે. યોગાનુયોગ, શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે. શાહે મંગળવારે મુંબઈમાં બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા પછી પત્રકારોને જણાવ્યું હતું કે ભારત એશિયા કપ તટસ્થ સ્થળે રમશે.
 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ રમીઝ રાજાના નજીકના સૂત્રોએ સંકેત આપ્યો છે કે શાહના નિવેદન બાદ તેઓ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાંથી બહાર થવા પર વિચાર કરી રહ્યા છે. પીસીબીના સૂત્રોએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, "પીસીબી હવે કડક નિર્ણય લેવા માટે તૈયાર છે કારણ કે તે એ પણ જાણે છે કે જો પાકિસ્તાન આ મોટી ઈવેન્ટ્સમાં ભારત નહીં રમે તો આઈસીસી અને એસીસીને નુકસાન થશે."
 
ભારત વૈશ્વિક અથવા ખંડીય સ્પર્ધાઓમાં પાકિસ્તાન સાથે રમ્યું છે પરંતુ 2008 એશિયા કપ પછી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પાકિસ્તાનની ટીમ છેલ્લે 2012માં મર્યાદિત ઓવરોની દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતની મુલાકાતે આવી હતી. જ્યારે પીસીબીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે શાહના નિવેદન પર સત્તાવાર રીતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
 
પીસીબીના એક પ્રવક્તાએ કહ્યુ કે, "અમારી પાસે અત્યારે કહેવા માટે કંઈ નથી, પરંતુ અમે સંજોગોને જોઈશું અને આવતા મહિને મેલબોર્નમાં યોજાનારી ICC બોર્ડની બેઠક જેવા યોગ્ય મંચ પર આ મામલો ઉઠાવીશું."  જો કે, એવું જાણવા મળ્યું છે કે પીસીબીના અધ્યક્ષ રાજા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ શાહના નિવેદનથી ખૂબ નારાજ છે અને કેટલાક કડક નિર્ણયો લેવાનું નક્કી કર્યું છે. પીસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે રમીઝ રાજા આ મુદ્દે ACCને મજબૂત પત્ર મોકલશે અને શાહના નિવેદન પર ચર્ચા કરવા માટે આવતા મહિને મેલબોર્નમાં ACCની ઈમરજન્સી મીટિંગની માંગ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, "એક વિકલ્પ કે જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે તે એસીસી છોડી દેવાનો છે કારણ કે જ્યારે ACC પ્રમુખ આવું નિવેદન આપે છે, ત્યારે પાકિસ્તાન માટે તે સંસ્થામાં ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી."


Edited by - Kalyani Deshmukh 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments