સામાન્ય ભક્તોમાં સૂર્યકુમાર યાદવ. તેમણે કહ્યું કે અમે સખત મહેનત કરતા રહીશું, બાકી મહાકાલના હાથમાં છે.
ક્રિકેટર્સએ ગર્ભગૃહમાં જઈને ધોતી-સોલા પહેરીને મહાકાલનુ પંચામૃત અભિષેક કર્યો. ઉજ્જેન સાંસદ અનિલ ફિરોજીયા પણ સાથે હતા. મહાકાલ મંદિરમાં ત્રણેય ક્રિકેટર્સ સામાન્ય ભક્તોની વચ્ચે બેસ્યા. આસપાસ બેસેલા અનેક ભક્તો તેમને ઓળખી પણ ન શક્યા. ત્યારબાદ ત્રણેયએ સાધારણ ભક્તોની જેમ ગર્ભગૃહમાં દર્શન કર્યા.
મહાકાલના દર્શન પછી સૂર્ય કુમારે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યુ, મહાકાલ દર્શન કરીને ખૂબ સારુ લાગ્યુ. શરૂઆથી અંત સુધી આરતી જોઈ. મન શાંત થઈ ગયુ. સૌથી જરૂરી ઋષભ પંતના સ્વસ્થ થવાની કામના કરી. તેઓ રિકવર થઈ જાય, બસ આ જ જરૂરી છે અમારા સૌ માટે.
30 ડિસેમ્બર કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા પંત
ઈંડિયન ટીમના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયા તા. રુડકી પાસે તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ. પંતને આ દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘવાયા. તેઓ દિલ્હીથી કાર દ્વારા રુડકી જઈ રહ્યા હતા અને ખુદ ડ્રાઈવ કરી રહ્યા હતા. પંતની મુંબઈના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુક્રવારે તેમના ઘૂંટણની સર્જરી થઈ. તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.