Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ કહ્યું એર સ્ટ્રાઈકની વચ્ચે અમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા

womens cricket
Webdunia
ગુરુવાર, 27 એપ્રિલ 2023 (12:38 IST)
સુદાનથી ભારતીય લોકોને 'ઓપરેશન કવેરી' હેઠળ પરત લાવવામાં આવી રહ્યા છે. 360 લોકોને સૌપ્રથમ સુદાનથી એરફોર્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા છે. ભારતમાં પ્રવેશતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. આ લોકોમાં કેટલાક ગુજરાતીઓ પણ હતા, જે દિલ્હીથી ફલાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પરિવારને જોતાં જ સુદાનથી આવેલા લોકો ભેટી પડ્યા હતા.તમામ લોકોને પરત આવ્યા બાદ પણ મનમાં પોતાની માલ અને મૂડીની ચિંતા છે.

<

NEWS : BCCI announces annual player retainership 2022-23 - Team India (Senior Women). #TeamIndia

More Details https://t.co/C4wPOfi2EF

— BCCI Women (@BCCIWomen) April 27, 2023 >
સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, સુદાનમાં સ્થિતિ ભયંકર છે રેસ્ક્યૂ-ઓપરેશનમાં અમને ફિલ્મ જેવી ફીલિંગ આવતી હતી. એર સ્ટ્રાઇક ચાલુ છે; લોકોનાં ઘર તૂટે છે, એની વચ્ચે અમને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. ગુજરાતીઓ એકબીજાને સાચવે છે. લાઈટ, પાણી 7 દિવસથી કપાઈ ગયાં હતાં. પરિસ્થિતિ ખરાબ થતાં અમે બીજા ગામે ગયા અને ત્યાંથી અમને એરફોર્સ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા. એર સ્ટ્રાઇક ચાલુ થઈ ગઈ છે, જેમાં લોકોનાં ઘર જ તોડી પાડવામાં આવે છે. બધું ત્યાં મૂકીને આવ્યા છીએ, ખાલી થોડાં કપડાં સાથે આવ્યાં છીએ.

ગુજરાતીઓ, ભારતીય અને સાઉદી ગવર્નમેન્ટનો બહુ જ સપોર્ટ રહ્યો છે. સરકારના સપોર્ટથી પરત આવ્યા છીએ. ફિલ્મમાં જેમ આર્મીના પ્લેનમાં લઈ જાય એ રીતે અમે આવ્યા છીએ.હાલ યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં થઈ છે, જેના કારણે યુક્રેનની જેમ પોતાનો જીવ બચાવી ભારતીય નાગરિકો પરત આવી રહ્યા છે. કોઈ નોકરીધંધા માટે તો કોઈ ત્યાં જ રહેતું હતું, જેમને આફત આવતાં પરત આવવું પડ્યું છે. પહેરવાનાં કપડાં સિવાય કોઈ વસ્તુ સાથે લાવી શક્યા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments