Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 World Cup: આજ ના દિવસે જ 28 વર્ષનુ સપનુ થયુ હતુ પુરુ, ભારત બન્યુ હતુ વર્લ્ડ ચેમ્પિયન

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2024 (13:36 IST)
world cup 2011
 
2  એપ્રિલ  એ ભારતીય ક્રિકેટ માટે  સૌથી ખાસ તારીખ છે. આ તે દિવસ છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે 28 વર્ષની આતુરતાનો અંત લાવીને  બીજી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા 1983માં કપિલ દેવની કપ્તાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમને 2011માં વર્લ્ડ કપ જીત્યાને ભલે 13 વર્ષ થઈ ગયા હોય, પરંતુ 2 એપ્રિલની તારીખ આવતા જ ફેંસના દિલમાં આ શાનદાર જીતની યાદો તાજી થઈ જાય છે.
 
શ્રીલંકાને હરાવીને ભારત બન્યુ હતુ વર્લ્ડ ચેમ્પિયન 
વર્ષ 2011માં 2 એપ્રિલના રોજ ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલ હરીફાઈમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવતા બીજીવાર વર્લ્ડ કપનો ખિતાબ પોતાને નામે કર્યો હતો.  મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની વાળી ટીમ્ ઈંડિયાએ આ જીત સાથે વર્લ્ડ કપનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. ભારતીય ટીમ ઘરેલુ જમીન પર વનડે જીતનારી ક્રિકેટના ઈતિહાસમાં પહેલી ટીમ બની હતી. 

<

Throwback to a very special day!

#OnThisDay in 2011, #TeamIndia won the ODI World Cup for the second time pic.twitter.com/inyLTWKcrY

— BCCI (@BCCI) April 2, 2024 > async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
 
ભારતને ખિતાબી મુકાલામાં 275 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો અને 28 વર્ષ બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ. આ પહેલા 1983માં ભારતે લોર્ડસમાં રમાયેલી ફાઈનલમાં વિન્ડિઝે હરાવી દુનિયામાં વિજય ડંકો વગાડ્યો હતો. તેમજ 28 વર્ષ બાદ 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2 એપ્રિલના દિવસે સર્જાયેલા દ્રશ્યોને ભારતીય લોકો કેમ ભૂલી શકે?
 
શ્રીલંકા સામે જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓ ખુશી અને જીતના આંસુએ રોયા હતા. ત્યારે ટીવી પર ટેલિકાસ્ટ જોઈ રહેલા કરોડો દર્શકો પણ ભાવવિભોર બની ગયા હતા.
 
વર્લ્ડ કપ શરૂ થયા પહેલા જે સૌથી મોટો ચર્ચાનો વિષય હતો સચિન... કેમકે ભારત દેશમાં ક્રિકેટ એક ધર્મ બની ગયો છે અને સચિન ક્રિકેટચાહકો માટે ભગવાન! ઘરઆંગણે વર્લ્ડ કપનું આયોજન એક અનોખો અવસર હતો. કેમકે એક તરફ આ વર્લ્ડ કપ સચિનની કારકિર્દીનો છલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો હતો. જેથી ક્રિકેટમાં લગભગ તમામ બેટિંગ રેકોર્ડ પોતાના નામે કરી ચૂકેલા સચિનને ટીમ ઈન્ડિયાના ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સુવર્ણ તક હતી. ઐતિહાસિક જીત અને ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ જ્યારે ટીમના સાથી ખેલાડીઓએ સચિન અને કોચ ગેરી કર્સ્ટનને ખભા પર ઉઠાવી મેદાન પર ચક્કર લગાવી તે દ્રશ્ય વર્ષો સુધી લોકોને નહીં ભૂલાય.
 
ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ તાજ મહેલ પેલેસમાં જશ્નની ઉજવણી કરી હતી તો કરોડો દેશવાસીઓ ટીમની ઐતિહાસિક જીતને વઘાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
 
 એમએસ ધોનીએ મારી હતી વિનિંગ સિક્સર   
આ અંતિમ મેચમાં, એમએસ ધોનીએ ભારતીય દાવની 49મી ઓવરમાં નુવાન કુલશેખરા પર લાંબી સિક્સ ફટકારીને ટીમને જીત તરફ દોરી અને 28 વર્ષની આતુરતાનો અંત લાવીને બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ક્રિકેટ ચાહકો આજ સુધી આ વિનિંગ શોટને ભૂલી શક્યા નથી અને આ જીતથી ભારતીય ટીમમાં મોટો બદલાવ આવ્યો હતો. જેના કારણે આજે ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ગણાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments