Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીન સહિત દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ભારતમાં કેસ ઘટવાનું શું કારણ?

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (16:04 IST)
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, દુનિયાભરમાં કેટલાક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પરંતુ ભારતમાં કોરોના સંક્રણ સતત ઘટી રહ્યું છે.
 
ગત અઠવાડિયે દેશમાં કોરોના સંક્રમણના કારણે 12 મૃત્યુ થયાં અને આ દરમિયાન ત્રણ દિવસ એવાં હતાં જ્યારે એક પણ મૃત્યુ કોરોનાથી થયું નહોતું.
 
માર્ચ 2020માં જ્યારથી ભારતમાં કોરોનાથી મૃત્યુ થવાનાં શરૂ થયાં ત્યારથી આ આંકડો સૌથી ઓછો છે. આ અઠવાડિયે કોરોનાથી 1,103 નવા કેસ આવ્યા જે 23-29 માર્ચ 2020 પછી સૌથી ઓછા સંક્રમણવાળું અઠવાડિયું છે.
 
23-29 માર્ચ 2020ના 736 કોરોનાના કેસ સામે આવ્યા હતા અને બીજા અઠવાડિયે કેસ વધીને 3,154 થયા હતા.
 
ગત પાંચ મહિનાથી કોરોનાના કેસ દેશમાં સતત ઘટી રહ્યા છે. જુલાઈ 18-24 વાળા અઠવાડિયા પછીથી સતત કોરોનાના કેસ દેશમાં ઘટી રહ્યા છે. આ અઠવાડિયે કોરોનાએ 1.36 લાખ નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદથી દર અઠવાડિયે કોરોનાના કેસ ઘટતા રહ્યા છે.
 
ગત અઠવાડિયે 12 મૃત્યુ નોંધાયાં, સંક્રમણથી થનારાં મૃત્યુના હિસાબથી આ સૌથી ઓછાં હતાં.
 
ત્યારે એશિયા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. worldometers.info અનુસાર, સમગ્ર વિશ્વમાં બીજી નવેમ્બરથી કોરોનાના કેસની સરેરાશ સંખ્યા વધી રહી છે. બીજી નવેમ્બરવાળા અઠવાડિયામાં સરેરાશ 3.3 લાખ નવા કેસ નોંધાયા અને 18 ડિસેમ્બરના આ આંકડામાં 55 ટકાનો ઉછાળો આવ્યો છે અને નવા કેસ 5.1 લાખ નવા કેસ થયા હતા.
 
ચીનમાં કોરોનાના નવા કેસ મોટી સંખ્યામાં સામે આવે છે અને આ ત્યારે થઈ રહ્યું છે જ્યારથી ચીને કોવિડ નીતિઓના નિયમોમાં ઢીલ આપી છે. જોકે 7-8 ડિસેમ્બરના ચીનમાં કોરોનાથી થયેલાં મૃત્યુના કોઈ કેસ સામે નથી આવ્યા.
 
આ વખતે સૌથી વધારે નવા સંક્રમણના મામલા જાપાનમાં આવી રહ્યા છે. જ્યારે ગત એક અઠવાડિયામાં 10 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ અઠવાડિયે જાપાનમાં કોરોનાથી 1600 મૃત્યુ થયાં છે. ત્યારે દક્ષિણ કોરિયામાં એક અઠવાડિયામાં 4.5 લાખ નવા કેસ સામે આવ્યા છે.
 
ત્યારે ચીનના ટોચના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે શિયાળામાં કોરોનાની ત્રણ સંભાવિત લહેરોમાંથી પહેલી લહેરનો સામનું ચીન અત્યારે કરી રહ્યું છે.
 
આ મહિનાની શરૂઆતમાં કડક નિયંત્રણ હટાવવામાં આવ્યાં ત્યાર બાદ કોરોના સંક્રમણમાં ધરખમ વધારો થયો છે.
 
તાજા આધિકારિક આંકડા અનુસાર નવા કેસની સંખ્યા ઘટી છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments