Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું છે પ્લાઝ્મા થેરેપી? જાણો તેના ફાયદા અને નુકસાન

શું છે પ્લાઝ્મા થેરેપી અને તેનાથી કેમ જાગી છે આશા?

Webdunia
શુક્રવાર, 17 જુલાઈ 2020 (11:04 IST)
કોરોનાના સંકટમાં લોકોમાં 'પ્લાઝ્મા થેરેપી'નું નામ ખૂબ ચર્ચાઇ રહ્યું છે. એક તરફ જ્યાં આખું વિશ્વ કોરોનાની સારવાર શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો બીજી તરફ પ્લાઝમા થેરેપી એક આશાના કિરણના રૂપમાં સામે આવી રહી છે. જોકે તેને લઇને મેડિકલ કોમ્યુનિટી સંપૂર્ણપણે આશ્વસ્ત નથી, પરંતુ શરૂઆતી તબક્કામાં એક માર્ગ જરૂર બતાવ્યો છે. 
 
તેનું પુરૂ નામ કોન્વોલેસેન્ટ પ્લાઝ્મા થેરેપી છે.
ફક્ત ભારતમાં જ નહી, પરંતુ અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને કોરોના સામે લડીને સાજા થયેલા દર્દીઓને પ્લાઝ્મા દાન કરવાની અપીલ કરી છે. તેનાથી પહેલાં ચીનમાં ફેબ્રુઆરીથી જ આ મેથડના માધ્યમથી સારવાર કરવામાં આવી રહી છે. 
 
એવું નથી કે ફક્ત કોરોનામાં જ પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ પહેલાં ઇબોલા વાયરસના મુકાબલા માટે પણ પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે પણ હોય પરંતુ આ ટેક્નિકલ નવી નથી. જૂની ટેક્નિક જ છે, જેનો ઉપયોગ લાંબા સમયથી થઇ રહ્યો છે. 
 
કેવી રીતે કામ કરે છે, પ્લાઝ્મા ટેક્નિક?
પ્લાઝ્મા આપણા લોહીના પીળા તરલનો ભાગ હોય છે, જેના દ્વારા સેલ્સ અને પ્રોટીન શરીરની વિભિન્ન કોશિકાઓ સુધી પહોંચે છે. તમે એમ સમજી લો કે આપણા શરીરમાં જે ઉપલબ્ધ હોય છે તેના 55 ટકાથી વધુ ભાગ પ્લાઝ્માનો જ હોય છે. 
 
પ્લાઝમા વિશે આ જાણવું યોગ્ય રહેશે કે જો કોઇ વ્યક્તિ કોઇ બિમારીથી સાજો થાય છે અને પોતાના પ્લાઝ્મા ડોનેટ કરે છે, તો તેનાથી ડોનેટ કરનાર વ્યક્તિને કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી. કોઇ પ્રકારની કોઇ નબળાઇ આવતી નથી. તેમાં જે લોકો પોતાના પ્લાઝ્મા ડોનેટ કરે છે, તેના પ્લાઝ્માને બીજા દર્દી પાસેથી ટ્રાંસફ્યૂઝનના માધ્યમથી ઇંજેક્ટ કરીને સારવાર કરવામાં આવે છે. 
 
આ ટેક્નિકમાં એંટીબોડીનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોઇપણ વ્યક્તિની બોડીમાં કોઇ વાયરસ અથવા બેક્ટેરિયા વિરૂદ્ધ બનાવે છે. આ એન્ટીબોડીને દર્દીના શરીરમાં નાખવામાં આવે છે. એવામાં એક મેથડ જે વ્યક્તિને ઠીક થાય છે, ઠીક તે મેથડ દર્દી પર કાર્ય કરે છે અને બીજા દર્દી પણ સાજા થવા લાગે છે. 
 
જોકે તેને લઇને તે સમજી લેવું જોઇએ કે આ કોઇ જાદૂ નથી. પરંતુ સચ્ચાઇ તો એ છે કે કોઇ જરૂરી નથી કે એક વ્યક્તિ પર જો કોઇ દવા અસર કરે છે તો તેન એંટીબેક્ટીરિયલ ટ્રાંસફ્યૂઝન બીજા પર પણ અસર કરશે જ. ઘણીવાર પણ થતી નથી, એટલા માટે તેમાં ખૂબ સાવધાની જ જરૂરિયાત થાય છે. 
 
વિરોધાભાસ કેમ?
પ્લાઝ્મા થેરેપીને લઇને વિરોધભાસ ત્યારે સામે આવ્યો, જ્યારે આઇસીએમઆર એટલે કે ઇન્ડીયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચે તેના પર સવાલ ઉભા કર્યા અને કહ્યું કે જો તેના ટ્રાયલ માટે પણ સાવધાનીપૂર્વક તેનો ઉપયોગ કરવામાં નહી આવે તો દર્દીને જીવનું જોખમ થઇ શકે છે. સ્પષ્ટપણે એક્સપર્ટ આ વાત પર એક મત નથી, પરંતુ સચ્ચાઇ જરૂરી છે કે કોવિડ-19નો સામનો કરવા માટે અત્યારે કોઇ સારવારને માન્યતા આપવામાં આવી નથી. પ્લાઝ્મા થેરેપીને લઇને પણ ઘણા વિરોધાભાસ સામે આવી રહ્યો છે. 
 
જોકે તેને એક એક્સપેરિમેંટલ થેરેપી જરૂરી ગણવામાં આવે છે અને તેનાથી ટ્રાયલ વિભિન્ન જગ્યા પર ચાલી રહ્યા છે. એવામાં તેને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી કોરોનાની કોઇ સ્થાઇ સારવાર શોધી લેવામાં આવતી નથી, ત્યાં સુધી આશા વ્યક્ત કરવી જોઇએ કે પ્લાઝ્મા થેરેપીનો પ્રયોગ ચાલુ રહેશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments