Dharma Sangrah

રાજ્યમાં કોરોના વાયરસના કુલ 538 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (12:24 IST)
ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસ 23 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં કોવિડ-19 રોગીઓની સંખ્યા વધીને 538 થઇ ગઇ છે. તો બીજી તરફ બે સંક્રમિતોના મોતની સાથે ગુજરાતમાં તેનાથી મૃતકોની સંખ્યા 26 સુધી પહોંચી ગઇ છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે સોમવારે 22 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ 13, આણંદ 1, વડોદરા 1, બનાસકાંઠા 2, અને સુરતમાં 5 નવા કેસ નોંધાયા છે.  તેમણે જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં 13257 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 538 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 4 લોકો વેન્ટિલેટર પર છે, 461 વ્યક્તિઓ સ્ટેબલ છે અને 47 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
 
આજે અમદાવાદના એક 76 વર્ષીય પુરૂષનું મોત થયું હતું જેમને હદય અને ફેફસાં સંબંધિત બિમારી હતી. જ્યારે વડોદરાના 27 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું જેને ડેન્ગ્યૂ હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી
હવે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કહેર પહોંચી ગયો છે. જિલ્લામાં પ્રથમ બે કેસ સામે આવ્યા બાત તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. પાંચ વર્ષનું એક બાળક કોરોનાનું ભોગ બન્યું છે. વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષનો બાળક કોરોનાનો શિકાર બન્યો છે. તો પાલનપુરમાં એક 55 વર્ષીય વૃદ્ધ પણ કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

આગળનો લેખ
Show comments