Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં શરૂઆતના 34 દિવસમાં 17 કેસ , છેલ્લાં છ દિવસમાં 21 કેસ નોંધાયાં

Webdunia
ગુરુવાર, 30 એપ્રિલ 2020 (13:55 IST)
અમદાવાદની જેમ ગાંધીનગર શહેર જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પાટનગરમાં સૌથી પહેલો કેસ 21 માર્ચે ઉમંગ પટેલનો નોંધાયો હતો ત્યારબાદથી અત્યાર સુધીમાં 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે 21 માર્ચથી 23 એપ્રિલ સુધી 34 દિવસમાં 38 પૈકી માત્ર 17 કેસ નોંધાયા હતા જ્યારે 24 એપ્રિલથી 29 એપ્રિલ સુધી 6 દિવસમાં શહેર - જિલ્લામાં નવા 21 કેસ નોંધાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અત્યાર સુધીના કુલ કેસમાંથી 55.27 ટકા કેસ 6 દિવસમાં નોંધાયા છે. તેમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં 18 કેસ અને ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા છે. તેમાં ગાંધીનગર તાલુકામાં 12, માણસામાં 2, કલોલમાં 2 અને દહેગામમા 2 કેસ બન્યા છે. જ્યારે 2 કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. મંગળવારે નવા કેસ નોંધાયા તેમાં પાટનગરમાં 1 અને રાંધેજા, મેદરા તથા કલોલમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. સેક્ટર 3 ન્યુમાં રહેતા અને અમદાવાદ મનપાની એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 32 વર્ષિય તબીબને 1 મહિનાથી નિકોલ સ્થિત ક્વોરન્ટાઇન સેન્ટરમાં ફરજ પર મુકાયા હતાં. તેઓ 16 કલાકની ડયૂટી કરતા અને અપડાઉન કરતા હતાં અને ઘરમાં અલગ રૂમમાં રહેવા સાથે ક્યાંય બહાર નીકળતા ન હતાં. તેઓ પરિવારના સભ્યોને પણ મળતા ન હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારમાં માતા, પિતા અને દાદા સહિતના 4 સભ્યોને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા હોવાનુ જાણવા મળે છે.  

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments