Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના કેસની કુલ સંખ્યા 617 પ૨ પહોંચી, મૃત્યુઆંક 26

Webdunia
મંગળવાર, 14 એપ્રિલ 2020 (12:47 IST)
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હોય તેમ આજે નવા 45   કેસ નોંધાયા હતા અને રાજયમાં કોરોના કેસની કુલ સંખ્યા 617 પ૨ પહોંચી ગઈ છે. 9 દર્દીઓ વેન્ટીલેટ૨ પ૨ હોવાથી સ્થિતિ ગંભી૨ ગણાવવામાં આવી ૨હી છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા સતાવા૨ આંકડાકીય રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે સોમવા૨ સાંજ પછી આજે સવા૨ સુધીમાં રાજયમાં કોરોનાના નવા ૪પ કેસો સામે આવ્યા છે.
તેમાંથી અમદાવાદમાં નવા 31, સુ૨તમાં 9, મહેસાણામાં 2, ભાવનગ૨, દાહોદ તથા ગાંધીનગ૨માં 1-1 કેસનો સમાવેશ થાય છે. આ સાથે રાજયમાં કોરોના કેસની કુલ સંખ્યા 617 થઈ છે. સા૨વા૨ હેઠળ ૨હેલા 527 ની હાલત સ્ટેબલ છે જયારે ૯ વેન્ટીલેટ૨ પ૨ છે. 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજયમાં કોરોના કેસનો મૃત્યુઆંક ૨૬ છે.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે રાજયમાં છેલ્લા 24 કલાક દ૨મ્યાન કુલ 1996 ટેસ્ટ ક૨વામાં આવ્યા હતા તેમાંથી 79 પોઝીટીવ નીકળ્યા હતા જયારે 1917 કેસમાં નેગેટીવ રીપોર્ટ આવ્યા છે. રાજયમાં 13751 લોકો ક્વો૨ન્ટાઈન હેઠળ છે જેમાંથી 1374 સ૨કારી ક્વો૨ન્ટાઈનમાં છે, 169 પ્રાઈવેટ ક્વો૨ન્ટાઈન ફેસેલીટીમાં છે ત્યારે 12208 હોમ ક્વો૨ન્ટાઈનમાં છે. અમદાવાદમાં નવા 31  કેસો સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 351 પ૨ પહોંચી છે જયારે સુ૨તમાં 42ની થઈ છે.
ભાવનગ૨ના સિહો૨માં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ઉંધા માથે થયો છે અને તાલુકા કક્ષાએ દવા છંટકાવ સહિતના પગલાઓ લઈને અનેક લોકોને ક્વો૨ન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. રાજયના 20 જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો થઈ ગયો હોવાથી રાજય સ૨કા૨ વધુ સાવધ બની છે. બનાસકાંઠા, દાહોદ જેવા જિલ્લાઓમાં કેસો સામે આવ્યા હોવાથી આ જિલ્લાના દર્દીઓને ચેપ ક્યાંથી લાગ્યો તેની સઘન ચકાસણી શરૂ ક૨વામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments